________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ મંત્રિદ્વારા મળવાથી પ્રતિવાસુદેવે નિમિત્તિયાએ કહેલી વાતની ખાત્રી કરવાના ઈરાદાથી પોતાના ચંડવેગ નામના એક દૂતને કઈ મતલબ સમજાવી, પ્રજાપતિ રાજા પાસે જઈ તેને મળી આવવા આજ્ઞા કરી. તે ફત પ્રતિવાસુદેવના પ્રતિનિધિ તરીકે ઘટીત સૈન્ય અને સરંજામ સાથે પોતનપુર નગરે આવી પહોંચે.
પ્રજાપતિ રાજા સર્વ અલંકારથી વિભૂષિત થઈ રાજસભામાં અચલ તથા ત્રિપૃષ્ઠકુમાર, સામંતરા જાઓ, સેનાપતિએ, અમાત્ય, અને પુરોહિત પ્રમુખ માન્ય પુરૂષે તેમજ પ્રધાનપુરૂષોની સાથે મહદ્ધિક દેવની માફક સભા ભરીને બેઠા છે. સભામાં નિ:શંકપણે સંગીત ચાલતું હતું, એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહારપૂર્વક સુંદરનૃત્ય થતું હતું, અવનિકરતા મૃદંગના ઘોષથી આકાશ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્દગારથી મધુર વીણાને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગરાગણને પ્રગટ કરનારી વીણા શ્રતિઓને વ્યક્ત કરતી હતી, તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે ચડગદૂત પિતાના આગમનની સૂચના અને પાવ્યા સિવાય વીજળીના ચમત્કારની પેઠે તત્કાલ સાહિત્ય સંગીત કલાવિહીન સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલે જોઈ, સામતરાજાઓ સહિત પ્રજાપ્રતિ રાજા સંભ્રમ પામે અને એ સ્વામીના દૂતને સંભ્રમ સહિત માન આપવાને માટે ઉભા થઈ, સત્કાર સાથે તેને આસન પર બેસાડ પછી રાજાએ તેના સ્વામીના સર્વ સમાચાર પૂછ્યા. સમય સિવાય સભામાં આવવાથી સંગીતને ભંગ થયે. પિતાના આગમનની ખબર આપ્યા સિવાય સભામાં દાખલ થવાથી, તથા સભાને રંગમાં ભંગ થવાને, જે બનાવ બને તે ત્રિપૃષ્ઠકુમારથી સહન થયું નહિ. આ અજાણ્યા પુરૂષ કેણ છે? ત્રિપૃષ્ઠકુમારે પિતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછયું. તેણે કુમારને જણાવ્યું કે “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને હૃત છે. આ ત્રિખંડભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા
For Private and Personal Use Only