________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરર
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ લોકોત્તર સ્વરાજ્ય કેવળ આત્મસત્તાથી પ્રાપ્ત થઈ શકે છે. લૌકીક સ્વરાજ્ય માટે ઉત્તમ અને પુરૂષાર્થ કરવા છતાં તે પ્રાપ્ત થશે કે કેમ તેના માટે સંશય હોય છે, ત્યારે આ લેકેત્તર સ્વરાજ્ય માટે પદ્ધતિસર પ્રબલ પુરૂષાર્થ કરવાથી પરિણામે ભવ્ય જીવને તે જરૂર પ્રાપ્ત થશે એ સંશય રહિત છે, એમ જ્ઞાનીઓની માન્યતા છે.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીને કાળ પ્રભુએ, જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી, તેમને સત્ય રસ્તો બતાવી, તેમને તારવાને માટે પ્રયત્ન કરવામાં વ્યતિત કરેલ છે.
ભગવંતમહાવીર દેવના શાસનમાં ૧૧ ગણધર–૧૪૦૦૦ સાધુ-૩૬૦૦૦ સાધવી. ૭૦૦ વૈક્રિય લબ્ધિવાન-૪૦૦ વાદીએ (એટલે વાદના વિષે સુરાસરને પણ અજીત એવા યતિઓ) ૧૩૦૦ અવધિ જ્ઞાનીએ-૭૦૦ કેવળજ્ઞાનીઓ–૫૦૦ મનઃ પર્યવ જ્ઞાની-૩૦૦ ચતુર્દશ પૂર્વિ –૧૫૯૦૦૦ શ્રાવક-૩૧૮૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી.
For Private and Personal Use Only