________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ શ્રી વીરપ્રભુ જે અમારા ગુરૂ છે તેમની પાસે.”
શું ? તમારે પણ બીજા ગુરૂ છે? હું તમારી સાથે તેમની પાસે આવું?”
યથા સુખ દેવાનુપ્રિય”
પછી તે બાલકુમાર ભગવંતની પાસે ગયા. ભગવંતને પ્રણામ કર્યા. ભગવતે તે બાળકુમારને ધર્મ સંભળાવ્યે તે સાંભળી બાળ કુમાર પિતાના માતાપિતા પાસે આવ્યા. તેમને નમીને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે તાત ! હે માતાજી ! હું આ સંસારથી નિર્વેદ(ખેદ). પામ્યું છું. માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપે.”
વત્સ ! તું બાળક છે. દીક્ષા કેવી હોય છે તે તું શું જાણે?” માતાપિતાએ જવાબ દીધે.
જે હું જાણું છું તે એ કે, જે જનમ્યો છે, તે અવય મરવાને.” પણ હું નથી જાણતા કે તે ક્યાં અને કેવી રીતે મરવાને? તેમજ હું નથી જાણતા કે કેવા કર્મથી જીવ નાર કીમાં ઉત્પન્ન થાય છે, પણ હું જાણું છું કે જીવ પોતાનાં કરેલાં કર્મ વડે જ તે ગતિને પામનારો છે.”
આ પ્રમાણે અનેક યુકિતથી કુમારે માતા પિતાને સમજાવ્યા. પછી માતાપિતાએ કરેલા મહોત્સવ વડે આ અતિમુકત કુમારે શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુ એ તેમને શિક્ષણ આપવા માટે સ્થવિર મુનિઓને ભળાવી દીધા.
એક વખતે અતિમુક્તમુનિ સ્થવિર સાથે થંડિલ ગયા હતા. માર્ગમાં પ્રથમ મેઘવૃષ્ટિ થવાથી બાલકે ખાડામાં ભરાયેલા જળ ઉપર, ખાખરાનાં પાંદડાનાં નાવડાં કરી તરાવતા હતા, અને અરસપરસ પિત પિતાનું નાવ તરે છે એવી વાત કરી ખેલતા હતા તે જોઈ અતિમુક્ત મુનિએ પણ બાલચેષ્ટાથી પિતાનું પાત્ર પાણીમાં મુકી તરાવતા છતા કહેવા લાગ્યા કે, “જુઓ, આ મારૂં
For Private and Personal Use Only