________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ તેમના જીવે પૂર્વે કરેલા પુણ્ય કર્મના સંચયને જ વિપાકેદય સમજવાને છે.
પ્રાચીન કાલમાં પુત્ર ઘણુભાગે સાત વર્ષને થાય, ત્યારે તેને નિશાળે ભણવા બેસાડવાનો રીવાજ હતે. એના અંગે જે વિધિ કરવામાં આવતે તેને “નિશાળ ગરણું” કહેવામાં આવતું હતું.પ્રાચે બાળકના અંગે વાળ ઉતરાવવાની,નિશાળે બેસાડવાની, કન્યાનું લગ્ન કરવાની જે ક્રિયા કરવામાં આવે છે, તે બાળકના એકીના વર્ષોમાં કરવાને રીવાજ હોય છે. ત્રણ, પાંચ, સાત, નવ, અગીઆર, તેર, એ એકીના વર્ષ ગણાય છે. કન્યાના લગ્ન કાળના વર્ષ ગણવામાં તે જે એકીના વર્ષમાં મુહર્ત ન આવતું હોય, તે તેના ગર્ભના મહીના ગણત્રીમાં લઈને, એકીના વર્ષને મેળ બેસાઈ સંતોષ માની લેવામાં આવે છે.
ભગવંતની ઉમર સાત વર્ષની પુર્ણ થઈ, આઠમાની શરૂવાત થવાની હતી, તેવા સમયમાં ભગવંતને વિદ્યાગુરૂ પાસે નિશાળે ભણવા બેસાડવાની તેમના માતા પિતાની ઈચ્છા થઈ. તીર્થકરો ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સહિત હોય છે, એટલે તેમને કોઈ વિદ્યાગુરૂની પાસે ભણાવવા મુકવાની જરૂર જ નથી. જગતમાં તેમને કઈ ગુરૂજ હોતું નથી. તેઓ સ્વયં બુદ્ધિશાળી હોય છે. ભગવંત મહાવીર પણ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી મતિ, કૃત, અને અવધિજ્ઞાન સહિત હતા,
આવા ત્રણ જ્ઞાન સહિત પ્રભુને જગતના સામાન્ય છે અને વિદ્વાન કરતાં તે વિશેષ જ્ઞાન હોય છે; વિદ્યાપાઠકો અથવા ગુરૂએને અવધિજ્ઞાન જેવું અમૂલ્ય આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોતું જ નથી. ભગવંતને તે એ આમપ્રત્યક્ષ જ્ઞાન હતું; એટલે લેકમાં રહેલા તમામ રૂપી પદાર્થોના સ્વરૂપને જાણું અને જોઈ શકતા હતા.તેઓને વ્યવહારની તમામ કળાઓ અને વિજ્ઞાનના અંગે નવીન શીખવાપણું જ ન હતું, છતાં માતાપિતાએ તે પિતાની ફરજ વિચારી તેમને નિશાળે ભણવા મુકવાની “નિશાળ ગરણની ” ક્રિયા કરી. શુભ મુહૂર્ત સ્વજન અને રાજ સેવકે, મહારાજા વિગેરે આમંત્રણ
For Private and Personal Use Only