________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કયા નથી. એ ઉપરથી મને લાગે છે કે હજુ હું લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં, તેપણું તે પિતાના શુભ ધ્યાનથી ચલાયમાન થશે નહીં. “ હા હા ! પર્વતને ભેદવામાં જેમ મનુષ્યના હાથ નિષ્ફળ થાય, તેમ હું પણ મારા પ્રયત્નમાં નિષ્ફળ નિવડ છું. આ મુનિનું બળ અને ધૈર્ય જાણ્યા શીવાય
સ્વામીના વચને ઉપર અવિશ્વાસ આ ! ખરેખર મારી દુનું દ્ધિથી હું ઠગા છું. સ્વર્ગના વિલાસના સુખને છેને, શ્રાપથી ભ્રષ્ટ થએલાની જેમ આ વખત આ પૃથ્વી ઉપર ભમી વિનાકારણું શ્રમ ઉઠાવ્યો. હું ઉભય ભ્રષ્ટ થયે. સ્વર્ગનુ સુખ છેડયું, અને પ્રતિજ્ઞા ભંગ થયે. હવે હું ઈદ્ર મહારાજને અને બીજા અન્યદેવને શું મુખ બતાવીશ ? મહા આ અવિચારી કૃત્યને હજારવાર ધીક્કાર થાઓ.”
આ શાંત મહામુનિને ક્ષમાવ્યા શીવાય એમને એમ, દેવસભામાં જવું બરાબર નથી, એ તેના મનમાં વિવેક આવ્યા.
તે દેવ પ્રભુની પાસે આવી અંજલી જેવી લજજા પામી પ્લાન મુખે પ્રભુને વિનંતી કરવા લાગે, કે હે સ્વામી! શક ઈંદ્ર સુધર્મા સભામાં આપની જે પ્રસંશા કરી હતી, તે અક્ષરશઃ સત્ય છે, ખરેખર આપ તેવા જ છે. તેમના વચનપર શ્રદ્ધા નહીં કરતાં મેં આપને ઘણું ઉપદ્રવ કર્યા, તથાપિ આપ સત્ય પ્રતિજ્ઞા અને દઢ નિશ્ચયવાળા નિવડયા છે, હું ભ્રષ્ટ પ્રતિજ્ઞ થયે છું. મે આ કાર્ય સારું કર્યું નથી એવું મને હવે ભાન થયું છે. માટે હે ક્ષમાસાગર આપ મારો અપરાધ ક્ષમા કરશે. હવે ઉપસર્ગ કરવા છેડી દેઈ ને ભગ્ન પ્રતિજ્ઞાવાન વિલે મેંયે પાછે દેવલોકમાં જાઉં છું. આપ હવે સુખે વિહાર કરો અને અદ્ભષિત આહાર ગ્રહણ કરે પૂર્વે જે દુષિત ભિક્ષા મલતી હતી તે દોષ પણ મહારાજ ઉત્પન્ન કરેલા હતા.” એમ કરી દીનતા ધારણ કરી બે હાથ જોડી તે પ્રભુના સન્મુખ ઉ રહ્યો.
For Private and Personal Use Only