________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પંચ મહાવ્રત સ્વરૂપ.
૧૮૩ તેઓને ઘણું કષ્ટ થયું. તેમની આંખોમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. “હે વીર હવે અમો તમારા વિના શુન્ય વન સરખા મહેલમાં શી રીતે રહી શકીશું?” નંદીવર્તન રાજા કહે છે કે, “હે બંધુ! તમારા વિના હવે હું તેની સાથે વાતચીત કરી સુખ મેળવિશ. તથા તમારા વિના હવે હું તેની સાથે ભોજન કરીશ? હે વિર! તમે તે રાગદ્વેષ રહિત થઈ અનગાર થઈ વિહાર કરી ગયા, ને અમેને કદી તમે યાદ પણ કરશે નહીં. પણ અમને તે તમે ઘડી પણ વીસરવાના નથી. ” ઇત્યાદિ શોચ્ચાર કરતા શેક હૃદયથી નગર તરફ પાછા વળ્યા.
અહિં પ્રકરણના અંતે, પ્રભુએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા, તેનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. જગતની અંદર ઉત્તમ પ્રકારના ચારિત્રના અંગે વિવિધ પ્રકારના ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને તે માટે કેટલાક વ્રત નિયમ પણ લેવાના કે અંગીકાર કરવાના હોય છે. તે સર્વમાં સર્વોત્કૃષ્ટ વતે નિચે જણાવેલા પાંચ છે. એની અંદર પ્રાયઃ બધા ગુણેને સમાવેશ થઈ જાય છે. તે પાંચ મહાવ્રતે નીચે પ્રમાણે છે.
૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત –ચાવત્ છવ સર્વ સ્થાવર અને બસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિ; બીજાની પાસે હણાવ નહી, કે હણેલાની અનુમોદના કરવી નહી. મતલબ કેઈ પણ જીવની કઈ પણ રીતે હિંસા કરવી નહિ, એટલું જ નહિ પણ હિંસાના વિચાર પણ મનમાં લાવવા નહિ, કે વચનથી ઉચાર પણ કરવું નહિ. આ વ્રતની વ્યાખ્યા એટલી બધી વિશાળ કરવામાં આવેલી છે કે, પિતાને પ્રાણુત કષ્ટ આપનાર કે ઉપસર્ગ કરનારના ઉપર પણ લગીર માત્ર દ્વેષ કરે નહિ કે તેનું અહિત ચિંતવવું નહિ. તેનું હિત ચિંતવવું કે તેની દયા ચિંતવવી.
૨ મૃષાવાદ વિરમણ વ્રત–ચાવત્ છવ મનથી, વચનથી, કે કાયાથી મૃષા ચિંતવવું નહિ, કે બોલવું નહિ, બીજા પાસે બોલા
For Private and Personal Use Only