________________
* શ્રી કલ્પસૂત્ર.
( સુખબોધકા. )
O
પ્રથમ વ્યાખ્યાન.
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ કલ્પસૂત્ર ઉપર ટીકા લખતાં પહેલાં મંગળાચરણુરૂપે પરમ કલ્યાણકારી શ્રી મહેત પ્રભુને નમસ્કાર કરે છે અને કહે છે કે, બાળ અભ્યાસીઓને ઉપયાગી થાય એટલા માટે જ આ ટીકા લખવાને હું પ્રેરાયા પંડિત પુરૂષોના મનને આનંદ આપે એવી બીજી ઘણી ટીકાઓ કલ્પસૂત્ર વિષે રચાઇ છે, એ વાત શ્રી વિનયવિજયજી મહારાજના ધ્યાન મહાર નથી, તથાપિ તેઓશ્રી કહે છે કે થાડી બુદ્ધિવાળા મનુષ્યાને એધ થાય એવા હેતુથીજ આ જૂદી ટીકા હું રચું છું અને મને આશા છે કે મારા એ પ્રયત્ન સફળ થશે.
આ સ્થળે શ્રી વિનયવિજયજી મહારાજને વિષે કોઈ એવા પ્રશ્ન કરે કે બીજી અનેક સરસ ટીકાએ હાવા છતાં તમે આ પ્રવૃત્તિ શા સારૂં આદરી ? તેનાં જવાખમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સૂર્યના ઝળહળતા તેજથી આખુ જગત્