Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 529
________________ વાંઢ મારે હાવાહી અધિક ચતુર્દશીને લેખક જેમ ચતુર્દશી. બીજી ચતુર્દશીએ ૪૧૬ શ્રી કલ્પસત્રવાતા નથી.) વલી માટે મારે ત્યા' ઇત્યાદિ, સૂર્યાચારને વિષે પણ તેમજ કહેવાય છે. લેકમાં પણ દીવાલી, અક્ષયતૃતીયા આદિ પર્વને વિષે તેમજ વ્યાજ ગણવા આદિને વિષે અધિક માસ ગણાતા નથી, તે પણ તું જાણે છે. વળી સર્વે શુભ કાર્યો અધિક માસ નપુંસક છે તેથી, તેમાં ન કરવાં એમ કહીને ન્યાતિશાસ્ત્રમાં તેને નિષેધ કરે છે. વળી બીજે માસ અધિક હોય તેની વાત તે બાજુ પર રહે, પણ જે ભાદરે માસ અધિક હોય તો પણ પહેલો ભાદરે અપ્રમાણુજ છે (એટલે બીજા ભાદ્રપદમાં સંવાસરીપર્વે કરવામાં આવે છે.) જેમ ચતુર્દશી. અધિક હોય તે પહેલી ચતુર્દશીને લેખામાં નહીં ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ જાણવું. વલી જે એમ હોય તે “અપ્રમાણ ( અધિક ) માસમાં દેવપૂજા, મુનિદાન અને આવશ્યક આદિ કાય પણ ન કરવા જોઈએ” એમ કહીને તારા અધણને ચપલ ન કર; કારણ કે દિનપ્રતિબદ્ધ દેવપૂજા, મુનિદાન વિગેરે કૃત્ય છે તે તે હમેશાં કરવાં જ જોઈએ અને જે સધ્યા આદિ સમય પ્રતિબદ્ધ આવશ્યક આદિ કૃત્ય છે તે પણ દરેક સંધ્યા સમય પામીને કરવાં જ જોઈએ અને ભાદ્રપદ આદિ માસથી પ્રતિબદ્ધ જે કર્યો છે તે બે ભાદ્વપદ હેય તે કયા ભાદ્રપદમાં કરવાં? તેના વિચારમાં પ્રથમ ભાદ્રપદને અવગણીને (નહીંગણુને) બીજા ભાદ્રપદમાં તે કરવાં એમ સમ્યક્ પ્રકારે વિચાર કર. ૧લી જે, અચેત એવી વનસ્પતિઓ પણ અધિક માસ અંગીકાર કરતી નથી, જેથી અધિક માસને ત્યજીને બીજા માસમાં પુષિત થાય છે. * વ્યાજ, ભાડું, પગાર વિગેરેમાં હિંદુ માસની ગણત્રીએ, હાલમાં અધિક માસનું વધારે લેવા દેવામાં આવે છે તે નવીન પ્રવૃત્તિ છે. તેથી જ તે કરાર લખવો પડે છે.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578