________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
જ્યારે આપણા જીવનને વ્યવસ્થિત અને વિશુદ્ધ બનાવવા પ્રયાસ કરીશું ત્યારે જ જીવનની કેટલી કિંમત છે, સદાચારથી કેટલે લાભ થાય છે, તે જાણીશું. અને ઈર્ષ્યાઅભિમાન-તિરસ્કાર-નિન્દા વિગેરે દુર્ગુણેમાં કેટલે ગેરલાભ છે, તે જાણીશું. તિરસ્કાર-અહંકાર-નિન્દા અને મમતાના ત્યાગથી મન અને શરીરનું આરોગ્ય વધતું રહે છે.
૩૬૧. જ્યારે આપણને દુષ્ટ વિચારે-દુષ્ટ મને વૃત્તિથી ભયંકર અને કારમી નુકશાની થાય છે અને શુભ અથવા શુદ્ધ વિચારોથી અત્યંત લાભ થાય છે, એ અનુભવ થશે ત્યારે આપણે કુદકે ને ભૂસકે આગળ વધીશું અને કઈ પ્રકારની ચિન્તા-શેક સંતાપ રહેશે નહી. શુભ અને શુદ્ધ વિચારમાં-શુભ ભાવનામાં અચિત્ય મહાન શક્તિ રહેલી છે. તેને આર્વિભાવ કરો; દુષ્ટ વિચારો, લાખનું નુકશાન થાય તે પણ મનમાં પેસવા દે નહી; કારણ કે તે વિષ ખાવા સમાન છે.
દણ ઝેરી વિચારેને દૂર કરવા તે કઠિન કાર્ય નથી, મૈત્રી ભાવના અને પ્રમોદ ભાવનાથી તે ઝેરી વિચારોને દૂર કરી શકાય છે, તેમાં પૈસા વિગેરેની જરૂર રહેતી નથીફક્ત શાંતિ અને સત્યની ભાવના ભાવે.
૩૬. ઉદારતા અને પ્રેમના વિચારેથી અશાંતિ-વેર અદેખાઈ-અભિમાનાદિ ટકી શકતા નથી, અને વિલાસના વિચારે આવીને વસે છે. - ૩૬૩. શાંતિના વિચારોને કરનાર દરેક કાર્યોમાં સફલ થાય છે. વિઠ્ઠો સ્વયં ખસી જાય છે અને માનસિક શક્તિને
For Private And Personal Use Only