________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫ થાય તે માટે થતી હોય તે તેની કુટી બદામની કિંમત નથી; ઉલટી દેની વૃદ્ધિ થતી રહે છે અને દુર્ગતિનું ભાજન બને છે. એક મુંબઈ જેવી નગરીમાં એક માણસ, સ્વાર્થ સાધવા અને સ્વદે જાહેરમાં આવે નહીં. તે માટે પ્રભુની પૂજા સારા પ્રમાણમાં કરતે; ગુરુવર્યને આગ્રહપૂર્વક સ્વગૃહે લઈ જઈ ગોચરી વહેરાવત અને પર્વના દિવસે પિષધ, પ્રતિક્રમાદિ કરીને શ્રાવકેને ખુશી કરતે. એકદા પાડોશીને કહ્યું કે તારી પાસે પંદરેક હજાર રૂપિયા છે તે અમને આપ, તેનું વ્યાજ તું કહે તે મુજબ આપીશ. આ પ્રમાણે સાંભળી તે પાડોશીએ રૂપિયાનું રક્ષણ થશે અને વ્યાજ પણ સારા પ્રમાણમાં મળશે, આમ વિચારી આઠ આનાની તેરી બે રૂપિયા ધીય, બાહ્ય ધાર્મિકક્રિયાઓને નિરખી નિઃશંક રહેવા લાગે; લેનારની દાનત ખેારા ટોપરા જેવી હતી. તેની ખબર પડી નહી, કે આ માનવી શા માટે આવી ક્રિયા રીતસર કરે છે. કેઈ જાણકારને પણ પૂછ્યું નહીં અને ખતપત્ર પણ કરાવ્યું નહીં. તે પાડેશી માનતે હતું કે આ ધાર્મિક માણસ કદાપિ દગો દેશે નહી. બન્યું એવું કે, બે-ત્રણ વર્ષ સુધી તે વ્યાજ સારા પ્રમાણમાં માગ્યા પહેલાં આપવા લાગ્યો, તેથી બીજા બે હજાર રૂપિયા વધારે ધીર્યા. વ્યાજની લાલચમાં મનુષ્યને વિચાર કરવાનો વખત મળતું નથી, લાલચ એવી ખરાબ છે કે ભાવી શું થશે તેની ખબર પડવા દેતી નથી. તે દંભી શ્રાવકે ચેથા વર્ષે, મુદત વિત્યાબાદ બે-ત્રણ મહિના ગયા પછી વ્યાજ આપ્યું તે પણ અડધું આપ્યું અને ફીસીઆરી કરવા લાગે કે હાલમાં વેપારમાં બરાબર કસ નથી, ધાર્યા પ્રમાણે લાભ મળતું નથી.
For Private And Personal Use Only