Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 573
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ, બંધ થતું રહે છે. સજજનેની સંગતિ સિવાય આગળ વધાતું નથી માટે તેમની સંગતિ કરવી. ૮૦૧. પરમ પ્રભુ શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને જે ભાગ્યશાળીઓ પિતાના જીવનમાં આવી પડતી વિપત્તિઓને-વિડંબનાઓ તથા સંકટને હસતા મુખે સહન કરી લે છે અને વિષયના વિકારમાં ફસાતા નથી તે સમર્થ બને છે અને વીરત્વ આવી હાજર થાય છે. વિપત્તિઓ પણ સંપત્તિઓ-વીરત્વ અર્પણ કરવા માટે આવે છે. આમ સમજણના ઘરમાં આવેલાને શોક સંતાપાદિક થતાં નથી અને આનંદપૂર્વક જગતની મુસાફરી કરતે ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થાય છે. વિડંબના વિગેરેને સહન નહિ કરનારા, જે પિતાનામાં તાકાત રહેલી છે, તે ગુમાવી બેસે છે. તેથી તાકાતના અભાવે આવેલી વિપત્તિઓ અધિક જોર પકડી વેદનાઓ ઉભી કરે છે. ૮૦૨. સમર્થ બની વીરત્વને ભેટવા માટે મનુષ્યભાવ ઉત્તમોત્તમ છે. એમાં જે હારી બેઠા-તે દરેક ભવમાં હારવાનું બનશે અને અસહ્ય વેદના ભેગવવાને પ્રસંગ આવી લાગશે. માટે ક્રોધાદિ કષાયને તથા વિષય વિકારોને જીતીને-સહન કરીને સમર્થ બને કે જેથી મળેલી શારીરિક શક્તિ સફળ બને અને તેમાં વધારો થતું રહે ૮૦૩. શારીરિક સંપત્તિ કે ધન-ધાન્ય-પુત્રાદિની તેમજ જ્ઞાનાદિની સંપત્તિ પ્રાપ્ત થયા પછી ગર્વ-ગુમાન–અદેખાઈ વિગેરેને આવવાને સંભવ છે; તે કેવી રીતે કે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585