________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
આવતાં બોલી શકો નહી કે વિરોધ કરે નહી, તમારા ભાગે બરોબર તમેને મિલ્કત મળી છે, પણ તમે અદેખાઈ નિન્દાકલેશ-કંકાસથી ઓછું માની દુઃખી થાઓ છે; ફક્ત ધનાદિક સુખશાંતિનું કારણ નથી પણ સાથે સાથે મન વચનની પવિત્રતા હેવી જોઈએ; તે તમારામાં નથી તે સુખી કયાંથી થાઓ ! તમે અનુભવ તે કરી જુઓ કે વચન અને મનની પવિત્રતા કેટલે લાભ આપી શકે છે? મન વચનની પવિત્રતા તથા કાયાની પવિત્રતા, દેને તપાસ કરીને તેઓને દૂર કરવાથી
સ્વયમેવ હાજર થાય છે, પરંતુ તેઓમાં બદ્ધ બનવાથી થતી નથી, માટે તમે પ્રથમ સગાંવહાલાં ઉપર પ્રેમ ધારણ કરવાપૂર્વક તેઓના સ ને ગ્રહણ કરી પવિત્ર બને; આધિ વ્યાધિવિગેરે રહી શકશે નહી અને શેક સંતાપાદિ પણ થશે નહી. આ પ્રમાણે શ્રવણ કરી તે ભાઈ અને સ્ત્રીઓએ સ્વજનવર્ગ ઉપર પ્રેમ ધારણ કરીને ગુણોને ગ્રહણ કર્યા ત્યારે સુખી થય; આધિ વ્યાધિ વિગેરે દૂર ખસી ગઈ અને સુખશાંતિ આવી મળી.
કેટલાક એવા હોય છે કે, દેવગુરુ અને ધર્મની ભક્તિઆરાધના કરે છે, પ્રભુપૂજામાં તત્પર હોય છે, આંગી બનાવી આનંદ અનુભવે છે, ગુરુમહારાજને સારી રીતે દાન દઈને ખુશી થાય છે અને સામાયિક પ્રતિક્રમણ પિષધાદિ પણ કરે છે પરંતુ ઘરમાં તથા અન્ય વ્યાવહારિક કાર્યોમાં નીતિમાથી પાછા હઠેલા માલુમ પડે છે, તેથી જેનેતરમાં તેવા શ્રાવકે પ્રત્યે જે સદ્ભાવના રહેલી છે, તે અલ્પ થતી જાય છે, માટે જેનેએ ન્યાય નીતિ ધર્મમાં ચુસ્ત બનીને દેવગુરુ અને ધર્મની ભક્તિસેવા કરવી તે જરૂરી છે તેમજ સેવા પૂર્વક જિનેશ્વરે જે
For Private And Personal Use Only