________________
46 || ભક્તામર સુભ્ય નમઃ
નાયભૂત ભુવનભૂષણ ! ભૂતનાથ ! ભૂલૈગુર્ણભુવિ ભવન્તમભિપ્રુવન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેને કિં વા, ભૂત્યાડડશ્રિત ય ઈહ નાત્મસમ કરોતિ ? //૧૦ના
ભક્તામર સ્તોત્ર : શ્લોક ૧૦) અર્થાત્ “હે જગતના શણગાર ! હે પ્રાણીઓના સ્વામિનું! વિદ્યમાન ગુણો વડે તમારી સ્તુતિ કરનારાઓ તમારા જેવા થાય છે, પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. કારણ કે જેઓ આ દુનિયામાં પોતાના આશ્રિતોને સમૃદ્ધિ વડે પોતાના જેવા કરતાં નથી, તેમનું મહત્ત્વ નથી.”
આ ભક્તની પ્રભુ પ્રત્યેની અચલ દઢ શ્રદ્ધા જ છે. શ્રદ્ધા છે, પછી યાચનાની ક્યાં જરૂર રહી?
યાચનામાં ભક્ત હૃદયનું કરુણાકંદ, ક્વચિત્ કાકલૂદીની પણ અનુભૂતિ થાય છે. જેમ કે હરિભદ્રસૂરિ “સાધારણ જિન સ્તોત્ર'માં ચોરસ્વરૂપ ઇન્દ્રિયોથી હરાયેલા વિવેકરૂપી ધનવિહોણા અજ્ઞાની અને સંસ્કાર કૂપમાં પડેલા એવા પોતાનો ઉદ્ધાર કરવા દેવના કરનું આલંબન યાચે છે.
યસ્ય એ હત વિવેક માધનસ્ય, ચોરેઃ પ્રભો ! બલિભિરિજિયનાગવઃ | સંસારકૂપકુહરે વિનિપાતસ્ય,
દેવેશ ! દેહિ કૃપણસ્ય કરાવલમ્બનમ્ . ૮ . સ્તોત્રકાર ધર્મસૂરિ પણ પાર્શ્વજિન સ્તવનમાં પાર્શ્વનાથ પાસે માત્ર ભક્તિની યાચના કરે છે. શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબની એક સ્તુતિ લગભગ દરરોજ આપણે બોલીએ છીએ :
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિ દેવા, સામું જુઓને સેવક જાણી,
એવી શ્રી ઉદયરત્નની વાણી. અહીં પણ ભક્તકવિ શ્રી ઉદયરને પ્રભુ પાસે ભવોભવ જ્યાં સુધી સંસારનાં બંધનોમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી જન્મોજન્મ પ્રભુના ચરણોની સેવા કરવા માટેની યાચના કરી છે.
તાત્પર્ય કે અહીં પણ જે યાચના કરવામાં આવી છે તે ફક્ત મોગામી અરિહંત પરમાત્માની સેવાની યાચના કરવામાં આવી છે. કારણ કે, તેની સેવા કરતાં કરતાં તેના જેવા ગુણો પામીને મોક્ષમાર્ગરૂપી શાશ્વત સુખને પામી શકાય. તેથી અહીં તે પ્રમાણેની યાચના કરવામાં આવી છે. ભોતિક સુખો માટેની કોઈ પણ પ્રકારની યાચના જૈન ધર્મ માટે વર્યુ છે. પ્રભુના ગુણોનું ધ્યાનમનન-કીર્તન કરતાં કરતાં પ્રભુમય બનીને તેના તરૂપ બનીને, તેના જેવા ગુણોનું વહન પોતાનામાં