________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 459. શ્લોક–૩ : પ્રભાવ : શ્રી રાજયશસૂરિ જણાવે છે કે દૃષ્ટિરોગ દૂર થાય અને જયની પ્રાપ્તિ થાય છે. જ્યારે લલિતસેન વિજય : દુશ્મનની નજરબંધી થાય અને દુશ્મન કંઈ કરી શકે નહીં. શ્લોક-૪ : પ્રભાવ : જાળમાં માછલી ફસાતી નથી અને જળનો ભય દૂર થાય છે. શ્લોક-૫ : પ્રભાવ : આંખના સર્વ રોગો દૂર થાય છે. શ્લોક–૬ : પ્રભાવ : અનેક વિદ્યાઓ સરળતાથી આવડી જાય છે અને વાણીનો દોષ દૂર થાય છે. શ્લોક–૭ : પ્રભાવ :
(૧) સર્પ મંત્રમુગ્ધ થઈ જાય છે અને બધાં પાપ, સંકટ અને નાનામોટા ઉપદ્રવો દૂર થઈ જાય છે.
(૨) સર્પનું ઝેર ચડે નહીં.
શ્લોક-૮ : પ્રભાવ : (૧) બધા અરિષ્ટયોગ દૂર થઈ જાય છે. (૨) ચામડી વગેરેના રોગ મટે છે.
શ્લોક-૯ : પ્રભાવ : (૧) ચોરોનો ભય દૂર થાય છે. (૨) ચોર ચોરી કરી શકે નહીં ચોરી કરનાર ચોર થંભી જાય. શ્લોક-૧૦ : પ્રભાવ : (૧) કૂતરાએ બટકું ભર્યું હોય તો ઝેરરહિત થઈ જાય છે. (૨) હડકાયા કૂતરાનું ઝેર ચડે નહીં. પીડા શાંત થાય.
શ્લોક-૧૧ : પ્રભાવ : (૧) ઇચ્છિતને આકર્ષિત કરે છે. વર્ષાને વિવશ કરે છે. (૨) જે સાધના કરવા ધારીએ તે થાય છે. (૩) સર્વ સિદ્ધિકર શ્લોક-૧૨ : પ્રભાવ :