________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 327 (૪) “માનતુંગ” એટલે અહંકારસહિત આજે જેને સ્વાભિમાની કહેવાય તેવાં
(૫) માનતુંગ એટલે શરીરના અપ્રમાણતાથી શ્રેષ્ઠ પુરુષોની ગણનામાં મોખરે એ જ માનતુંગ'.
જે કોઈ આવા માનતુંગ બનશે તેને લક્ષ્મી જરૂરથી વરશે. અર્થાત્ લક્ષ્મી વિવશ બનીને પાસે આવી જશે.
શ્રી ગુણાકરસૂરિજીએ લક્ષ્મીના પણ છ અર્થ કર્યા છે. શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર રચ્યું અને તેમને રાજ્યમાં રાજા તરફથી સન્માન મળ્યું. સ્વર્ગનું સુખ મળ્યું અને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ ત્રણ રૂપમાંથી શ્રી માનતુંગસૂરિજીને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે.
શ્રી ગુણાકરસૂરિજી લક્ષ્મીનો ચોથો અર્થ બતાવતાં જણાવે છે કે શ્રી માનતુંગસૂરિજીએ સ્તોત્રની શરૂઆત પ્રથમે ઉજનેન્દ્ર - કરી છે અને સ્તોત્રની પૂર્ણાહુતિના અંતિમ શ્લોકમાં પણ જિનેન્દ્ર ! મુર્નિવા-નું જ સંબોધન કરે છે. ટીકાકાર શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે “જિન” તો વિષ્ણુનો પર્યાયવાચી શબ્દ છે. ઇન્દ્ર એટલે જ સુરેન્દ્રના શોર્ય અને ઐશ્વર્ય ગુણોથી ગૂંથાયેલી માળા જે કોઈ માનતુંગ કંઠમાં ધારણ કરે છે તેને લક્ષ્મી સહજ ભાવે સામે આવીને મળે છે.
પાંચમો અર્થ શ્રી ગુણાકરસૂરિજીએ સ્તોત્રમાલાની પ્રશસ્તિ રૂપે કર્યો છે. જે મનુષ્ય પોતાના કંઠમાં આ સ્તોત્રરૂપે પુષ્પમાળા ધારણ કરે છે તે અવશ્ય લક્ષ્મીવાન બને છે. અર્થાત્ પુષ્પમાળા ધારણ કરનારનું દારિદ્રય અને ગરીબાઈ દૂર થાય છે, તે લક્ષ્મીવાન બને છે.
છઠ્ઠો અર્થ કરતાં ટીકાકાર શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે જે આ પુષ્પમાળા ધારણ કરશે તેને લક્ષ્મી પોતે જ કામથી વિહ્વળ બનીને માનતુંગને આવીને મળશે. - શ્રી માનતુંગસૂરિની આ રચિર વર્ણવાળી વિવિધ પુષ્પોની માળા જે કોઈ કંઠમાં ધારણ કરશે તો તે માનતુંગ બનશે અને તેને અવશ્ય સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થશે. આપણા જીવનના અંતિમ ધ્યેય સમાન સર્વ પ્રકારનાં ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થશે.
અંતિમ શ્લોકને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે “જેમ વસંતઋતુમાં આંબાના ઝાડ પર મોર દેખીને કોયલ પ્રસન્નતાથી ટહુકી ઊઠે તેમ આપના ગુણો દેખતાં મારું અંતર ભક્તિથી ટહુકી ઊઠ્યું તેથી આ સ્તુતિ રચાઈ ગઈ છે. આપના ગુણોનો મહિમા જ આ સ્તોત્રમાં ભર્યો છે. તે ગુણોના મહિમાને જે પોતાના અંતરમાં ધારણ કરે છે તેના સંસારમાં સર્વ વિઘ્નો દૂર થાય છે. ને તે શીઘ મોક્ષલક્ષ્મીને પામે છે. આ રીતે પરમાત્માની સ્તુતિનું ફળ પરમાત્માપણું છે. જે સમ્યફભાવે પરમાત્મા ગુણોનું સ્તવન કરશે તે પોતે પરમાત્મા થઈ જશે.”
શ્રી કાનજી સ્વામીએ પણ અહીં મોક્ષરૂપી લક્ષ્મી મેળવવા માટે પ્રભુના ગુણોનો મહિમા જ વર્ણવ્યો છે. પ્રભુના ગુણને જો અંતરના સાચા ભાવથી સ્તવવામાં આવે તો આત્મા પોતે પણ