________________
401
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ સેનાનો આપના સ્તવનથી શીઘ્ર વિનાશ થઈ જાય છે. ‘અપિ’ની જગ્યાએ ‘અરિ’ શુદ્ધ પાઠ થવાથી શ્લોક કેટલો સુસંગત અને નિર્દોષ થઈ ગયો છે એ બતાવવાની જરૂરિયાત નથી. સુજ્ઞ પાઠક એની ખૂબીનો સ્વયં અનુભવ કરી શકે છે. તો પણ એક વાત હું અહીંયાં બતાવી દેવાનું ઉચિત માનું છું કે પ્રાકૃતમાં ૨૩ ગાથાત્મક એક ભયહ૨ સ્તોત્ર છે. જે શ્વેતામ્બરોનાં જૈન સ્તોત્ર સંદોહ’ના દ્વિતીય ભાગમાં પ્રકાશિત થયો છે. આ સ્તોત્રને પણ માનતુંગની જ કૃતિ બતાવવામાં આવી છે. કારણ કે ‘ભક્તામર સ્તોત્ર'ની જેમ જ આના પણ અંતિમ શ્લોકમાં માનતુંગ શબ્દ મળી આવે છે. ‘ભક્તામર સ્તોત્ર'માં જેવી રીતે આઠ ભયોનું વર્ણન છે એવી જ રીતે ભયહર સ્તોત્ર’માં પણ છે. એની ૧૭મી ગાથામાં ‘૨ણ’ ભયની ભક્તામર અંતર્ગત ‘રિઉણ રિન્ત' (રિપુણ રિન્દ્ર) શબ્દ મળે છે. જેનાથી ભક્તામર સ્તોત્રના અરિભૂપતીનામું' શુદ્ધ પાઠનું સમર્થન થાય છે.’
શ્રી કટારિયાજીએ ‘અપિ” અને અરિ' શબ્દનો ભેદ બતાવી પાઠમાં પાઠાંતર કરવાનું સૂચન કર્યું છે. કોઈ પણ પોતાનો નાશ તો ન જ ઇચ્છે. માટે વિ’ના સ્થાને અરિ’ અર્થાત્ શત્રુનો નાશ ક૨વાની જ સ્તવના કરે માટે અરિ પાઠ યોગ્ય લાગ્યો તેમ લાગે છે. સ્તોત્રકાર સૂરિજીએ પણ ‘અરિ’–નો નાશ કરવાની જ સ્તુતિ કરી હશે.
શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ, શ્રી કટારિયાજીના આ સૂચન ૫૨ ટિપ્પણી કરતાં જણાવે છે કે “કટારિયાજી દ્વારા સૂચિત આ પાઠવિશુદ્ધિ બહુ જ મર્મયુક્ત એવી ઉપયોગી છે અને અહીંયાં અમે એનો સ્વીકાર કર્યો છે.”૮
આ સિવાયનાં અન્ય પાઠાંતરો પણ વિવિધ વિદ્વાનોએ જણાવ્યાં છે. શ્રી રતનલાલ જૈન, શ્રી પન્નાલાલ શાસ્ત્રી (વસંત), શ્રી પન્નાલાલ સાગર, શ્રી અમૃતલાલ શાસ્ત્રી, શ્રી કટારિયા, શ્રી હીરાલાલ કાપડિયા, શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આદિ માન્યવર વિદ્વાનોએ આ પાઠાંતરો નીચે પ્રમાણે જણાવ્યાં છે.
ભક્તામર સ્તોત્રનાં પાઠાંતરો :
શ્લોક પંક્તિ
૫
૩
૬
6
८
૧૦
૪
ર
૧ ૩ ~
પાઠાંતર
મૃગી
तच्चाम्रचारु
तच्चार, चाम्र
क्षणाद
क्षणक्षयमुपैति
प्रसादात् हरिष्यति ભૂવનમૂલળભૂત ! નાથ !
પુસ્તક-લેખક રતનલાલ જૈન,
જૈન સમાચાર અધિપતિ પન્નાલાલ (વસંત) (સાગર)
જૈન સમાચાર અધિપતિ
અમૃતલાલ શાસ્ત્રી
પન્નાલાલ (વસંત) કટારિયા
જૈન સમાચાર અધિપતિ
ગુણાકરસૂરિ