________________
॥ ભક્તામર તુર્થ્ય નમઃ ||
૧૦૮–૧૦૮ જાપ કરવા. ત્યારપછી જેનો ઉત્તર જોઈતો હોય તે પ્રશ્ન મનમાં ચિંતવીને અર્ધી રાત્રિ પછી સંથા૨ે સૂઈ રહેવું એટલે પાછલી રાત્રિની બે ઘડી બાકી રહે ત્યારે સ્વપ્ન દેખાશે અને તેમાં જે કાર્ય ચિંતવ્યું હોય તેનું શુભાશુભ ફળ દેખાશે. સ્વપ્ન આવ્યા પછી સૂઈ રહેવું નહિ.
"चउवीस तीर्थंकर तणीआण । पञ्चपरमेष्ठितणी आण चवीस तीर्थंकर तणई तेजि । पञ्चपरमेष्ठि तेजि ।। “ૐ અર્હ ઉત્પત્તય સ્વાહા''
492
܀
(૧૦) બંધોમોક્ષિણી વિદ્યા :
૧૫મા શ્લોકની પૂર્તિ રૂપે આ બીજી બંધમોક્ષિણી વિદ્યા પણ અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો અને પછી આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
"ॐ ह्रीं जिणाणं ॐ ह्रीँ ओहिजिणाणं ॐ ह्रीं परमोहिजिणाणं ॐ ह्रीं अणंतोहिजिणाणं ॐ ह्रीं सामन्नकेवलिणं ॐ ह्रीं भवत्थकेवलिणं ॐ ह्रीं अभवत्थकेवलिणं नमः स्वाहा ।"
આ વિદ્યામંત્રનો જપ કરવાથી ભૂત, પ્રેત, ડાકણ, શાકિની વગેરેનો ઉપદ્રવ દૂર થાય છે. (૧૧) શ્રીસમ્પાદિની વિદ્યા :
૧૬મા શ્લોકની પૂર્તિ રૂપે શ્રી સમ્પાદિની વિદ્યા અપાયેલી છે. તેથી સૌ પ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો પછી આ વિદ્યામંત્રનો કેરબાની માળાથી ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
"ॐ ह्रीं वीयबुद्धीणं ॐ ह्रीं कुट्ठबुद्धीणं ॐ ह्रीं सम्मिन्नसोआणं ॐ ह्रीं अक्खीणमहाणसीणं ॐ ह्रीं सव्वलद्धिणं नमः स्वाहा ।"
(૧૨) પરવિદ્યોઅેદિની વિદ્યા :
૧૭મા શ્લોકની પૂર્તિ રૂપે પરવિઘોચ્છેદિની વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર આ શ્લોકોનો જાપ કરવો પછી આ વિદ્યામંત્રનો જાપ કરવો.
“ॐ हूँ उग्गतवचरणाणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः સ્વાહા ।''
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ આ મંત્રપાઠના શુદ્ધીકરણ માટે જણાવે છે કે “કેટલીક પ્રતિઓમાં ‘ઉગ્ર’ પાઠ આવે છે પણ ‘ઉગ્ગ’ પાઠ શુદ્ધ છે.''
આ મંત્રનો જાપ કરીને મોરપીંછ વડે ૧૦૮ વાર ઝાડો દેવાથી બીજાએ કરેલા અનિષ્ટ વિદ્યાપ્રયોગની અસર દૂર થાય છે; ભૂતપ્રેતનો દોષ પણ દૂર થાય છે. શીત જ્વર (ટાઢિયો તાવ), ઉષ્ણ જ્વર વગેરે જ્વરનો નાશ થાય છે. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી અભિમંત્રિત કરીને