________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 259 (૩) અચિંત્ય : હે પ્રભુ ! આપને અચિંત્ય કહેવામાં આવે છે. કારણ કે મહાન યોગીઓ પણ તમારું પૂરેપૂરું ચિંતન કરી શકતા નથી. એટલે કે તમારું રૂપ અકલ છે. તે અચિંત્ય હોય છે કે જેના વિશે કંઈ જ કહી શકાતું નથી.
જ્યારે બુદ્ધિથી પ્રભુનું ચિંતન કરવા મુનિપુંગવો, શાસ્ત્રકારો, પંડિતો બેસે છે ત્યારે સમજ પડે છે કે પ્રભુને જેટલા પણ આપણે સમજ્યા છીએ તેના કરતાં અનેકગણું પ્રભુને સમજવાનું બાકી રહ્યું હોય છે. તેથી જ પ્રભુને અચિંત્ય કહેવામાં આવ્યા છે.
(૪) અસંખ્ય : હે પ્રભુ ! આપને અસંખ્ય પણ કહેવામાં આવ્યા છે. આપ અસંખ્ય છો. સંખ્યાતીત છો. તમારા જે કોઈ પણ ગુણને જે કોઈ પણ ભક્ત જીવનમાં ઉતારી લીધા છે. એણે આપનું સ્વરૂપે પ્રાપ્ત કરી લીધું. ગુણો દ્વારા અનેક હૃદયોમાં પ્રતિષ્ઠિત થવાના કારણે આપ અસંખ્ય છો.
(૫) આદ્ય : હે પ્રભુ ! આપને આદ્ય એટલે આદિપુરુષ કહેવામાં આવે છે. આઘનો અર્થ થાય છે પ્રથમ. ભક્તામર સ્તોત્ર એ શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ તો છે જ. એમનો તો મોક્ષ થઈ ગયો. જેનો મોક્ષ થઈ ગયો છે તેઓ આપણા આદ્ય પ્રથમ કેવી રીતે હોઈ શકે ? સંસારનો એક જીવ જ્યારે સર્વ કર્મની નિર્જરા કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે, ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. ત્યારથી તે વિભુ ! પ્રત્યેક આત્મવિકાસના પ્રારંભના પ્રથમ ગુરુ-માર્ગદર્શક આપ છો. સર્વપ્રથમ ૬૪ કલા જગતને શિખવાડનાર આપ એકમેવ છો.
તેથી જ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનને આદ્ય કહેવામાં આવ્યા છે.
(૬) બ્રહ્મા: હે પ્રભુ! આપને બ્રહ્મા કહેવામાં આવ્યા છે કારણ કે તમે ધર્મસૃષ્ટિની રચના કરો છો. અથવા તો તમે અનંત આનંદથી વૃદ્ધિ પામનારા છો. માટે બ્રહ્મા શબ્દને સાર્થક કરો છો. “વૃતિ અનન્તાનન્વેન વર્ધત રૂતિ વ્ર '
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, “બ્રહ્મા એને કહેવામાં આવે છે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું હોય. પરમાત્મા તમે મારા મોક્ષમાર્ગના વિધાતા છો. એટલા માટે તમે મારા બ્રહ્મા છો.
બ્રહ્મા એટલે સર્જનહાર નહિ, પરંતુ ધર્મ-અર્થ-કામ અને મોક્ષની પ્રાપ્તિની વિધિ ઉપાયને બતાવનાર વિધાતા-બ્રહ્મા.
(૭) ઈશ્વર : હે પ્રભુ ! આપને ઈશ્વર પણ કહેવામાં આવે છે કારણ કે તમે ત્રણેય લોકથી પૂજ્ય છો તથા જ્ઞાનાદિ અનંત ઐશ્વર્યને ધારણ કરનારા છો.
ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં ઈશ્વરની પરિભાષા આપવામાં આવી - વર્તમકર્તવથાતું સમ: શ્વરઃ જે કરવામાં, ન કરવામાં અને અન્યથા કરવામાં સમર્થ છે તે ઈશ્વર છે. આપ ઈશ્વર છો. આપે ઘણુંબધું કર્યું છે. ઘણુંબધું બદલ્યું છે અને ઘણુંબધું અન્યથા પણ કર્યું છે. આદિનાથ પ્રભુનું જીવનચરિત્ર જાણનાર વ્યક્તિ એ જાણે છે કે તેમણે શું શું કર્યું