________________
L
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનસુંગસૂરિજી
જૈન સ્તોત્રના નવસ્મરણ સ્તોત્રમાં સાતમું સ્મરણ મહાપ્રભાવક ‘ભક્તામર સ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. ‘પટ્ટાવલી સમુચ્ચય’માં આપેલી પટ્ટાવલીઓમાં શ્રી મહાવીર સ્વામીની વીસમી પાટે સિરિમાળતુંસૂરિ (૨૦) શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ છે.
આ માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર' અને ‘ભયહર' તથા ભત્તિભર’ આદિ સ્તોત્ર રચ્યાની નોંધ પણ ત્યાં ઉપલબ્ધ છે.
શ્રી માનતુંગસૂરિનું ગૃહસ્થ-જીવન અને દીક્ષાપર્યાય સંબંધી વિશેષ વિગતો સૌથી પહેલાં લગભગ ઈ. સ. ૧૨૭૭માં રચાયેલા પ્રભાવક ચરિત'માં મળે છે. તેમાં કહ્યું છે કે
:
વારાણસી નગરીમાં હર્ષદેવ નામનો રાજા હતો. એ નગરીમાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામનો શ્રેષ્ઠી તેની પત્ની ધનશ્રી સાથે
રહેતો હતો. તેમને માનતુંગ નામનો પુત્ર હતો. આ પુત્રે વૈરાગ્ય પામીને ચારુકીર્તિ નામના દિગમ્બરાચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને મહાકીર્તિ નામ ધારણ કર્યું હતું. આ જ વારાણસી નગરીમાં લક્ષ્મીધર નામે તેમના બનેવી રહેતા હતા. જે ધનાઢ્ય અને આસ્તિક-શિરોમણિ હતા. એક વાર મહાકીર્તિ (માનતુંગ) ગોચરી લેવા માટે તેમને ત્યાં પધાર્યા. તે વખતે કોગળો કરવા માટે કમંડળમાંથી જળ લીધું તો તેમાં નિરંતર જળ ભરી રાખવાથી સંમૂર્ચ્છિમ પોરા ઉત્પન્ન થયેલા જણાયા. તેમની