________________
264 છે / ભક્તામર તુલ્ય નમઃ | શ્લોક ૨૫ મો
बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात् त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर । शिवमार्गविधेर्विधानाद
व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ।।२५।। દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા પૂજ્ય આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ,
ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણ આપ. (૨૫) શબ્દાર્થ
યુદ્ધ – જ્ઞાની, સ્વ રવ – તમે જ છો, વિવુર્વિદ્ – દેવો દ્વારા પૂજિત હે ભગવનું, વૃદ્ધિોથાત્, - જ્ઞાનના પૂર્ણ વિકાસથી, ત્વમ્ શરીસિ – તમે જ શંકર છો, મુનત્રયીછરત્વ – ત્રણ ભુવનને સુખકર હોવાથી, ઘાતા મરિસ – વિધાતા છો, બ્રહ્મા છો, વીર – હે પૈર્ય ધારણ કરનારા પ્રભો !, શિવમાવિષે – મોક્ષમાર્ગની વિધિનું, વિધાના – વિધાન કરવાથી, ઘડતર કરવાથી, વ્યવક્તમ્ – પ્રકટ એવા, ઉત્તમ એવા, તમgવ – આપ જ, પુરુષોત્તમ: - પુરૂષોમાં ઉત્તમ, વિષ્ણુ, સિ –
ભાવાર્થ :
હે દેવતાઓ વડે પૂજાયેલા પ્રભો ! જ્ઞાનના પૂર્ણ વિકાસથી આપ બુદ્ધ છો, ત્રણેય ભુવનને સુખકર હોવાથી શંકર છો. હે પૈર્ય ધારણ કરનાર પ્રભો ! મોક્ષમાર્ગની વિધિના ઉપદેષ્ટા છો માટે આપ જ વિધાતા એટલે બ્રહ્મા છો, તેમજ પ્રકટ એવા પુરુષોત્તમ પણ આપ જ છો.' વિવેચન : ગાથા ૨૫
જ્ઞાનીજનો, શાસ્ત્રકારો, આચાર્યો આદિએ પ્રભુને કેટલાંક અર્થસૂચક વિશેષણોથી નવાજ્યાં છે તે ગુણોની સ્તુતિ આગળના બે શ્લોકમાં કર્યા બાદ આ શ્લોકમાં જગતમાં સુવિખ્યાત પ્રભુનાં કેટલાંક નામોની સાર્થકતા સૂરિજી બતાવે છે. બુદ્ધ, શંકર, બ્રહ્મા તથા પુરુષોત્તમ દ્વારા પ્રભુ' શબ્દને સાર્થક કરતાં બધા ભાવોને સૂરિજીએ અહીં વણી લીધા છે.
શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ હિંદુ ધર્મના પ્રત્યેક પ્રાચીન સાહિત્યે કરી છે. તેઓ માત્ર જૈન પરંપરા દ્વારા જ માન્ય હતા એવું નથી. પરંતુ વૈદિક તેમજ અન્ય શ્રમણ સંપ્રદાયો દ્વારા પણ તેઓ માન્ય હતા. સ્તોત્રકાર સૂરિજી વૈદિક તેમજ અન્ય ધર્મના ઊંડા અભ્યાસી હતાં. તેમણે સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને શ્રી આદિનાથ ભગવાનને અનેક નામોથી સંબોધિત કર્યા છે. જે નામ