________________
50 કે // ભક્તામર તુલ્ય નમઃ | તેમના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના ભક્તિભાવપૂર્વક રચાયેલાં સ્તોત્રોનો પાઠ કરવાથી મળતી ફળસિદ્ધિનું વર્ણન કરવું તેટલું જ અશક્ય છે.
સ્તોત્રમાં આરાધ્યદેવને શુદ્ધભાવે કરાતા નમસ્કાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિરત્નથી પણ અધિક છે. એટલે તેના દ્વારા આ સર્વ પ્રકારના લાભો થવાની સંભાવના છે તેથી જ સ્તોત્રથી થતી ફળસિદ્ધિનું વર્ણન કરવું અશક્ય છે.
પાદટીપ ૧. શ્રી પાર્શ્વ-પાવતી આરાધના', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૧.૧૨ ૨. શ્રી પા.પદ્માવતી આરાધના', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૩ ૩. સ્તોત્રાવલી', શ્રી યશોદેવસૂરિ મહારાજસાહેબ, પૃ. ૪૭-૪૮-૪૯ ૪. જૈન રત્ન ચિંતામણિ સર્વસંગ્રહ સાથે, સં. નંદલાલ દેવલુક, પૃ. ૬૮૪