________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 205 તમારા જેવા થાય છે, પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી, કારણ કે જેઓ દુનિયામાં પોતાના આશ્રિતોને સમૃદ્ધિ વડે પોતાના જેવા કરતા નથી, તેમનું મહત્ત્વ નથી. વિવેચન : ગાથા ૧૦
સ્તોત્રકાર સૂરિજીએ બે સંબોધનચિહ્નો દ્વારા પરમાત્માને સંબોધિત કર્યા છે. (१) भुवनभूषण, (२) भूतनाथ
આ બંને સંબોધન વિશિષ્ટ સંબંધનું સામંજસ્ય રજૂ કરે છે. ભુવનમૂષ | . એટલે કે અરિહંતા લોગુત્તમા અર્થાત્ હે પરમાત્મા ! આપ આલોકના ભૂષણ છો, અલંકાર છો. જગતના શણગાર છો. અરિહંતો આલોકના સહુથી ઉત્તમ પુરુષો છે. એટલે તેમને ભુવનના ભૂષણ કહી શકાય. અહીં લોક શબ્દથી ત્રણે લોકનું ત્રિભુવનનું સૂચન છે. ઉત્તમ શબ્દનો ભાવ મૂષણ શબ્દ વડે વ્યક્ત થયેલો છે. પરમાત્મા થકી જ આ ભુવન સુશોભિત છે. લોકોત્તર બની ગયા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા પછી લોક સાથે શો સંબંધ હોય ? સ્તોત્રકાર સૂરિજી લોકોત્તરનો લોક ઉપર રહેલો પ્રભાવ દર્શાવે છે. સાતમા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે પરમાત્મા વડે લોક આલોકિત (પ્રકાશિત) બને છે. પરમાત્માના આલોકથી આપણો પાપ-અંધકાર હટે છે.
આઠમા અને નવમા શ્લોકમાં પરમાત્મા વડે લોક પ્રભાવિત બને છે. અર્થાતુ પરમાત્માનો પ્રભાવ હોય છે. પરમાત્માના પ્રભાવથી આપણો વીતરાગભાવનો અભાવ હટે છે. અને નાદ્રમુક્ત... શ્લોક દ્વારા એમ દર્શાવે છે કે પરમાત્મા દ્વારા લોક સુશોભિત બને છે. પરમાત્માના સુશોભનથી આપણી અનાદિકાલીન કર્મજન્ય અશોભનીયતા દૂર થાય છે. જ્યારે મિથ્યાત્વનો અભાવ અને સમભાવનો આવિર્ભાવ થાય છે ત્યારે જ ભક્ત પરમાત્માના આલોક-પ્રભાવ અને સુશોભનનો અનુભવ કરે છે.'
તાત્પર્ય કે પ્રાચીન મનીષીઓએ એ અરિહંત ભગવંતને જે લોકોત્તમ વિશેષણ લગાડેલું છે તેનો જ ભાવ આ ભુવનમૂષણ'માં રહેલો છે. ભુવનમૂષણ'ની વિશેષતા એ છે કે એ શબ્દ પદલાલિત્યવાળો છે. ભૂતનાથ – શ્રી જિનેશ્વર ભગવંતને ભૂતનાથ એવું સંબોધન કરવામાં આવ્યું છે. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાશ્રીજી ભૂતનાથ શબ્દને સમજાવતાં કહે છે કે, “ભૂત એટલે જીવ જે પોતે સંભૂત છે, જેનું કદી નિર્વાણ નથી થયું. અને જે ભૂત અતીતથી, અનાદિકાળથી અને સદાય રહેનાર છે.”
અહીં જિનેશ્વરદેવને ભૂતનાથ'નું વિશેષણ લગાડવામાં આવ્યું છે. કારણ કે પ્રભુ સર્વ પ્રાણીઓની રક્ષા કરનારા છે. મહાદેવ અને શંકરને પણ ભૂતનાથ કહેવામાં આવ્યા છે. અહીંયા પણ જો ભૂતનાથ શબ્દથી મહાદેવનું સૂચન હોય તો પણ સાર્થક છે. કારણ કે આ વિશ્વની અંદર શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય બીજો કોઈ દેવ વિદ્યમાન નથી. ત્રણે લોકમાં તથા દેવો, દેવેન્દ્રો અને શક્રેન્દ્રો શ્રી તીર્થકર ભગવંતને પૂજે છે, વંદે છે અને તેથી તેઓ મહાદેવ નામને સાર્થક કરે છે.
શ્રી કાનજી સ્વામી આ સંદર્ભે જણાવે છે કે, “અરિહંત પરમાત્માને ભૂતનાથ એવું સંબોધન