________________
216 *
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।
1
જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જનગણ તણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જેવો દિન મહિં અને છેક પીળો જ દીસે.(૧૩)
શબ્દાર્થ
-
ભવનવાસી દેવો, નાગેન્દ્રો નેત્રરિ – નયનનું હરણ સુરનર – દેવ અને મનુષ્ય પુરા કરનારા–આકર્ષણ કરનારા નિશેષઃ – સમસ્તપણે (કાંઈ શેષ રાખ્યા વિનાનું) નિર્પિત – જીતી લીધું છે. નાત્ ત્રિતય ત્રણ જગતની ઉપમાનમ્ – ઉપમાઓ સરખામણી તે વન્ત્રમ્ – આપનું મુખ મંડલ વ – કાંતામતિનમ્ કલંકથી મલિન, ડાઘાથી મેલું निशाकरस्य ચંદ્રમાનું વિશ્વમ્ – બિંબ-મંડલ. ત્ – જે (બિમ્બ) વાસરે – દિવસ દરમ્યાન પાન્ડુપાશમ્ – જીર્ણ થયેલા પાંદડા જેવું – સુકાયેલા નીર્બ – એવા પત્તાશત્વમ્ પાંદડા જેવું.
ભાવાર્થ :
—
–
—
“હે પ્રભો ! જેણે દેવ, મનુષ્ય અને ભવનપતિ દેવોના નયનનું હરણ કર્યું છે અને જેણે ત્રણેય જગતની ઉપમાઓ સંપૂર્ણપણે જીતી લીધી છે એવું આપનું મુખમંડલ ક્યાં ? અને ડાઘાથી મલિન થયેલું તથા જીર્ણ થયેલાં પાંદડાં જેમ દિવસે ફિક્કું પડી જતું ચંદ્રનું બિમ્બ ક્યાં ?''
વિવેચન : ગાથા ૧૩
સ્તોત્રકાર સૂરિજીની પ્રભુ પ્રત્યેની અગાધ ભક્તિનો પરિચય આ શ્લોકમાં થાય છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરતાં પોતાના મનઃચક્ષુ સમક્ષ જે દશ્ય આવ્યું તેનું તેમણે વર્ણન કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે આવે છે ત્યારે સૌપ્રથમ તેનું મુખ દેખાય છે અથવા તેના પગ દેખાય છે. શ્રી માનતુંગસૂરિજીને સૌપ્રથમ પ્રભુના પગ દૃશ્યમાન થયા અને તેથી જ તેમણે પ્રથમ બે શ્લોકમાં પ્રભુના ચરણયુગલનું વર્ણન કર્યું. અનેક આચાર્યોએ પ્રભુના ચરણની સ્તુતિ કરી છે. હવે તેમને પ્રભુની સૌમ્ય મુખાકૃતિના દર્શનમાં અંતરંગ સ્વચ્છ, નિર્મળ, વીતરાગ, સર્વજ્ઞ દેવનાં દર્શન થાય છે. તેઓ અહીં પ્રભુના મુખનું વર્ણન લાક્ષણિક શૈલીમાં કરે છે.
આ જગતમાં જેનું મુખ અતિ સુંદર હોય તેના મુખની તુલના ચંદ્રની સાથે કરવામાં આવે છે. ચંદ્રમામાં એવી કઈ ખૂબી છે કે જેને જગતના સુંદર મુખ સાથે સરખાવવામાં આવે છે ? ચંદ્ર રાત્રિના સમયે શાંત મીઠો પ્રકાશ અને શીતળતા પ્રસારી સમગ્ર જનના હૃદયને આનંદ આપે છે. આથી જગતમાં જેના મુખને નિહાળવાથી મનમાં શાંતિ-શીતળતા અને પ્રસન્નતા વ્યાપી જાય તેના મુખની તુલના ચંદ્રની સાથે કરવામાં આવે છે. સ્તોત્રની રચના કરતાં કરતાં સૂરિજીના મનમાં પણ પ્રભુના મુખની તુલના ચંદ્રની સાથે કરવાનો, પ્રભુના મુખને ચંદ્રની ઉપમા આપવાનો વિચાર વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. પ્રભુના મુખની તુલના ચંદ્ર સાથે કરતાં તેમના સ્મૃતિપટ