________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ ♦ 399
चूतने संश्रतिवती नवमालिकेयम् अस्यामहं त्वयि च संप्रति वीत चिन्तः । (અભિજ્ઞાન શાકુંતલ, ૪.૧૨)
चूतनां थिरनिर्गतापि कलिका बदनाति न स्वं रजः (અભિજ્ઞાન શાકુંતલ, ૬.૪)
चूत प्रवातोष्ठमलचकार
(કુમારસંભવ, ૩.૩૦)
निवयेः सहकार मंजरी प्रियचूत प्रसवो हि ते सखा (કુમારસંભવ, ૪.૩૮)
કાલિદાસ જેવા વિદ્વાન કવિએ પણ ઘૂત” શબ્દનો છૂટથી ઉપયોગ કર્યો છે. શ્વેતામ્બર સંપ્રદાયના વૃત્તિકારોએ પણ ‘વૃત’ શબ્દને ગ્રહણ કરી પાઠમાં લીધો છે અને આ શબ્દ જ વધારે અનુકૂળ અને મૂળ કવિ દ્વારા પ્રયોજાયેલો છે. આથી તેમાં ફેરફાર દરેક વિદ્વાનોનું મંતવ્ય પણ છે. તે જ ‘વા', ‘શ્વેત' પાઠ જ યોગ્ય ગણાય.
શ્લોક ૮માંના બીજા ચરણમાં મારમ્યતે તનુધિયાપિ તવ પ્રમાવત્' આના સ્થાને મારમ્યતે તનુધિયાપિ પ્રસાવાત' પાઠ પણ અમુક પ્રતોમાં જોવા મળે છે.
હિન્દી સચિત્ર ભક્તામર રહસ્યના સંપાદક શ્રી રતનલાલજી ‘પ્રસ્તાવાત’ એ પાઠાંતર છે એમ નોંધ કરે છે અને મદ્રાસની એ. એમ. જૈન કૉલેજ તરફથી પ્રકાશિત તથા પ્રોફેસર એ. રામદાસ તરફથી સંપાદિત પુસ્તિકામાં તો ‘તવ પ્રસાવાત’ પાઠ મૂળ શ્લોકમાં લીધો છે. છતાં તેના ઇંગ્લિશ ભાષાંતરમાં ‘પ્રમાવાત્’ પાઠ પણ લીધો છે. આમ તો આ વાત નાની લાગે છે. પણ જિનેશ્વરનો પ્રભાવ એ જૈન તત્ત્વજ્ઞાન છે, શ્રમણસંસ્કૃતિ છે અને જિનેશ્વરનો પ્રસાદ માનવો એ વૈદિક સંસ્કૃતિ છે. ઈશ્વરકર્તૃત્વ સંસ્કૃતિ છે. માટે 'પ્રમાવત્' પાઠનો જ આદર કરવો ઉચિત છે.
તાત્પર્ય કે ‘પ્રમાવાત્’ પાઠ જ યોગ્ય છે અને ‘પ્રજ્ઞાવાત’ પાઠ બંધબેસતો પણ નથી તથા તેનું ઇંગ્લિશ પાઠમાં ભાષાંતર કરતી વખતે શક્ય છે કે કદાચ ભાષાંતરદોષ પણ રહી ગયો હોય. મૂળ પાઠ તરીકે ‘પ્રમાવત્'ને જ સ્વીકારવો જોઈએ. અર્થાત્ એ જ મૂળ પાઠ છે, મૂળકર્તાની રચના છે.
શ્રી રાજ્યશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર દર્શન'માં ૨૦મા શ્લોકના ત્રીજા ચરણ વિશે જણાવે છે કે તેનઃ પુન્ મળિવુ યાતિ યથા મહત્ત્વ' પાઠ છે. એ સ્થાને કોઈએ જાણે ‘મકાર’નો પ્રાસ બેસાડવો ‘તેન: મહામળિપુ યાતિ યથા મહત્ત્વ' એવો પાઠ કર્યો છે. આ પાઠ પણ આદરવા જેવો નથી. મહામાંગલિક સ્તોત્રમાં આ ‘રત્ન' પાઠનો ' ચિંતામણિ મંત્રના બીજાક્ષરોનો
પ્રતિનિધિ છે. માટે મહામણિ જેવો પાઠ સ્વીકારવો નહીં.
અહીં ગુણાકરસૂરિ મ. સા. પોતાની ટીકામાં એક અદ્ભુત વાત નોંધે છે. તે બે પદોમાં