________________
190 * ॥ ભક્તામર તુલ્યું નમઃ |
આધાત અને પ્રત્યાઘાત એકબીજાના વિરોધી અને સરખા છે.' આ વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે. સૂરિજીએ આ સિદ્ધાંતનું આલંબન લઈને જ જાણે આ શ્લોકની રચના કરી ન હોય. એક બાજુ શાશ્વત સુખના ભંડારરૂપ પ્રભુના અનંત ગુણોરૂપી સમુદ્ર અને છઠ્ઠા આરાના દુઃખના દરિયારૂપ પ્રલયકાળની મુશ્કેલીની સરખામણી કરી છે. અહીં બંને પરસ્પર વિરોધી સુખ અને દુ:ખની તેમણે સ૨ખામણી કરી છે. સૂરિજી આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે કે પોતે શ્રી આદિનાથની સ્તુતિ ક૨વાનું કાર્ય ઉપાડેલ છે તે અતિ વિકટ છે. માટે તેની મહત્તા અને મર્યાદા તેમના ધ્યાનમાં છે.
શ્લોક ૫ મો
-
सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश कर्तुं स्तव विगतशक्तिरपि प्रवृत्तः प्रीत्याडडत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्रं, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ||५||
એવો હું છું ગરીબજન તો યે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજ મહિં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજમહિં નથી તો ય શું મૃગલાંઓ, ૨ક્ષા માટે નથી શિશુતણી સિંહ સામે જતાં એ ? (૫)
શબ્દાર્થ :
मुनीश હે મુનીશ્વર ! ઋષભદેવ સ તેવી ક્ષમતા હીન, તે અસમર્થ અમ્ – હું (માનતુંગસૂરિ) તથાપિ તો પણ તવ આપની ભક્તિવશાત્ – ભક્તિથી પ્રેરાઈને, ભક્તિના કારણે ર્તુમ્ – રચવા માટે, કરવા માટે સ્તવમ્ - સ્તવન વિતશવિત્તઃ અપિ – છતાં શક્તિહીન, શક્તિ વગરનો પ્રવૃત્તઃ – તત્પર થયો છું પ્રીત્યા – પ્રીતિ વડે, પ્રીતિના કારણે આત્મવીર્યમ્ – પોતાની શક્તિનો અવિઘાર્થ – વિચાર કર્યા વગર મૃન્દઃ હરણ રૃપેન્દ્રમ્ – પશુઓનો રાજા, સિંહ 7 સભ્યતિ – સામનો કરતું નથી વ્હિમ્ – શું નિષ્નશિશોઃ – પોતાના બાળકને - પોતાના બચ્ચાને પરિપાનનાર્થમ્ રક્ષણ ક૨વા માટે
ભાવાર્થ :
-
હે મુનીશ્વર ઋષભદેવ ! આવી રીતે હું શક્તિ વગરનો હોવા છતાં આપના પ્રત્યેની મારી ભક્તિથી પ્રેરાઈને આપનું સ્તવન રચવા માટે હું તત્પર થયો છું. શું એક નિર્બળ એવું હરણ પણ પોતાની શક્તિ-સામર્થ્યનો વિચાર કર્યા વગર પોતાના બચ્ચાં પરની પ્રીતિને લીધે તેનું રક્ષણ કરવા માટે સિંહનો સામનો કરતું નથી ?