________________
=
A =
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 403 ૪૫ ૧ માના:
કાપડિયા, રતનલાલ જૈન
(પાઠાંતર) મના:
દુર્ગાપ્રસાદ શાસ્ત્રી (પાઠાંતર) ૪૫ ૪ સદ્ય:
કટારિયા सद्यो
રતનલાલ જેન (પાઠાંતર) ૪૬ ૪ नाथ
કટારિયા ૪૭ ૩ तस्य प्रणाश
કટારિયા, પન્નાલાલ સાગર
(વસંત) (પાઠાંતર) ४७ ४ यस्तेऽनिशं
કટારિયા ૪૮ ૨
કટારિયા આવાં અલગ અલગ પુસ્તકોમાં ભિન્ન ભિન્ન પ્રતોમાંથી પ્રાપ્ત થતા પાઠોને આધારે જુદાં જુદાં પાઠાંતરો મળી આવે છે. મળી આવતાં પાઠાંતરો કેટલાં યોગ્ય છે તે જાણ્યા પછી જ પાઠનું પાઠાંતર કરવું યોગ્ય જણાશે. નહિતર તો શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે જણાવ્યા અનુસાર સ્તોત્રકારના મૂળ પાઠમાં રહેલા આશયને દૂર કરી દે છે. આથી પાઠાંતરો થવા પર કાબૂ રાખવો જરૂરી છે તે યથાયોગ્ય જ છે.
रुचिर
અલંકારસૃષ્ટિ અલંકાર પણ કાવ્યકલાનું એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. ભાષાના ભૂષણરૂપ અલંકારો સામાન્યપણે ત્રણ પ્રકારના છે શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર, ભક્તામર સ્તોત્રમાં આ ત્રણે પ્રકારના અલંકારોનો પૂરો ઉપયોગ થયેલો છે. વિદ્વાન કવિઓ જ્યારે પોતાના ઇષ્ટદેવના ગુણોના મહિમાનું મનન કરે છે ત્યારે ભક્તિરસમાં તરબોળ બનીને પોતાના ભાવોને વિવિધ રૂપોમાં અભિવ્યક્ત કરે છે અને અલંકારોના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ પણ પોતાના ઇષ્ટદેવની ભક્તિમાં એટલા બધા ધ્યાનમગ્ન હતા કે તેમના કંઠમાંથી જે શબ્દ સ્ફર્યા તે પ્રભુના ગુણોનું વર્ણન કરતા હોવાને લીધે ઉત્તમ શ્લોકો બન્યા. તેમાં તેમણે અલંકારોને પૂર્ણ રૂપથી સાધ્ય કર્યા હતા.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી અલંકારસૃષ્ટિ વિશે જણાવે છે કે “આચાર્યોએ અલંકારાદિની સૃષ્ટિ વિશે એક દષ્ટાંત રજૂ કરતાં જણાવ્યું છે કે જેમ પાણીના એક ઘડામાં ઊંચેથી પાણીની ધારા રેડાય અને તે પાણી ઘડામાં ભરાયા પછી આપોઆપ વહી નીકળે છે, ત્યારે તે કોઈ એક નિશ્ચિત રસ્તે નહીં વહેતાં જુદા જુદા રસ્તે જુદી જુદી ઢબે વહે છે તેમ જ આ અલંકારો પણ કાવ્યમાં વહી નીકળે છે. ૧૦
તાત્પર્ય કે સ્તોત્રકાર જ્યારે ઇષ્ટદેવનું ચિંતન કરતાં કરતાં ભક્તિભાવમાં લીન થઈ જાય