________________
268 - || ભક્તામર તુલ્યું નમઃ સમ્યગ પ્રકારે રાગદ્વેષ રહિત અવસ્થા, વિતરાગી સ્વરૂપની આરાધના-ભક્તિ થવી જોઈએ. કારણ કે આ પ્રકારની ભક્તિ જ આપે જે વિધિપૂર્વક જણાવી છે તે જ મોક્ષમાર્ગ સુધી એટલે કે આપના સમીપ લઈ જઈ શકે તેમ છે, એટલે કે મોક્ષના શાશ્વત સુખના સ્વામી બનાવી શકે છે. તેથી આપની કોઈ પણ સ્વરૂપે ભક્તિ થઈ શકે છે. શ્લોક ૨૬મો
तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय,
તુમ્ય નમો નન મોધિશોષાય ||રદ્દી થાઓ મારાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા, થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા,
થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા. (૨૬) શબ્દાર્થ
નાથ – હે નાથ, ત્રિભુવનાર્તિહરીય – ત્રણ ભુવનની પીડા હરનાર એવા, તુમ્યમ્ નમ: – આપને નમસ્કાર હો, ક્ષિતિતનામત મૂષMIN – પૃથ્વીના ઉજ્વળ અલંકારરૂપ, ત્રિી ત: – ત્રણ જગતના, પરમેશ્વરાય – પરમેશ્વર, તુમ્ નમ: – આપને નમસ્કાર હો, નિન – હે જિનેશ્વરદેવ ! ભવોધિ - ભવરૂપી સમુદ્ર, શોષખાય – શોષણ કરનારા, સૂકવી નાખનારા. ભાવાર્થ :
હે નાથ ! ત્રણ લોકની પીડા હરનારા એવા આપને નમસ્કાર હો; હે પૃથ્વીના ઉજ્વળ અલંકારરૂપ ! આપને નમસ્કાર હો; હે ત્રણ જગતના પરમેશ્વર ! આપને નમસ્કાર હો, હે જિનેશ્વર! સંસારસમુદ્રનું શોષણ કરનારા એવા આપને નમસ્કાર હો.” વિવેચન : ગાથા ૨૬
સ્તોત્રકાર સૂરિજી શ્રી જિનેશ્વરદેવની સ્તુતિનો અખ્ખલિત પ્રવાહ આગળ ધપાવે છે. તુમ્યમ્ શબ્દના પ્રયોગ વડે શંકર-બુદ્ધ-પુરષોત્તમ આદિ અનેક ગુણવાચક નામો દ્વારા શ્રી જિનેશ્વરદેવને સંબોધીને હવે તેમને નમસ્કાર કરે છે. વ્યક્તિ ત્યારે જ નમસ્કાર કરે છે જ્યારે તે પોતાનાથી અધિક યશસ્વી અને કાંતિમાન પુરુષને જુએ છે. નમસ્કાર સૌ કોઈને કરવામાં આવતાં નથી. પરંતુ જ્યાં કંઈક પ્રાપ્તિ થવાની સંભાવના હોય તેની જ સામે નમસ્કાર પૂર્વક મસ્તક નમાવવામાં આવે છે. એટલે કે જ્યાં વ્યક્તિમાં કંઈક વિશિષ્ટતા હોય, મહાનતા હોય, તેજસ્વી વ્યક્તિત્વ હોય ત્યાં