________________
430 4 // ભક્તામર સુભ્ય નમઃ | કામથી ઇન્દ્રિયજન્ય સુખ ઉત્પન્ન થાય છે. કાર્યના અર્થે કારણનો વિચાર કરવો જોઈએ. આ બધાનું કારણ ધર્મ છે. માટે જ તત્ત્વવેત્તાઓ કહે છે કે ધર્મ સેવવો જોઈએ.’
તેમણે ચનિકને આરાધના માટે ભક્તામરનો ર૬મો શ્લોક આપ્યો. આચાર્યજીએ ચનિકને આરાધના કરવા માટે કહ્યું કે
(૧) તુમ્ય નમસ્ત્રિભુવનાર્તિહરીય નાથ ! (૨) ૧૦૮ નવકાર મંત્ર, (૩) પંચાસરા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી આદિનાથ ભગવાનની ભક્તિ (૪) શ્રી મહાલક્ષ્મીની પ્રતિમાની આરાધના. આ મહા સહાયક સાધના છે.
ભક્તામરની આરાધના કરનાર ઉપરને શ્રી ચકેશ્વરી દેવી પ્રસન્ન થાય છે. ચક્રેશ્વરી દેવી અને મહાલક્ષ્મી દેવી આ બંને સખીઓ છે. જો ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થાય તો તે પોતાની સખીને ભક્તનું દારિદ્રય દૂર કરવા સૂચવી શકે છે. માટે થઈને ર૬મા શ્લોકમાં મહાલક્ષ્મીની આરાધના છે.
ચનિક મહાલક્ષ્મીની આરાધના કરતો હતો. તેમાં તેને પરસ્ત્રીગમન વર્યુ હતું. તેથી તેની પરીક્ષા મહાલક્ષ્મીએ કરી હતી અને પોતાના વ્રતથી ચલાયમાન ન થતાં મહાલક્ષ્મી સાક્ષાત્ પ્રગટ થયાં હતાં અને તેના દારિદ્રયનો નાશ કરવા તેના ઘરમાં રહેલા ત્રણ કોઠી ચણા સોનાના બનાવી દીધા હતા. અનિકે પણ શ્રી ચક્રેશ્વરી દેવી સહિત શ્રી આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું તથા શ્રી મહાલક્ષ્મી દેવીની મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
આ શ્લોકમાં ચાર વાર “તુલ્ય શબ્દ આવતાં ધં' શબ્દ ચાર વાર આવ્યો. માત્ર થકાર' માટે જ કહેવાય છે કે યકાર મિત્રમિલન, ઈષ્ટપ્રાપ્તિ, ધ્યાન-સાધના અને સાત્વિકતાની જાગૃતિ માટે ઉપયોગી બીજાક્ષર છે. અત્રે લક્ષ્મી પ્રાપ્તિ અર્થ કોઈ પણ જાતની ઇષ્ટ પ્રાપ્તિ એવો કરવો એવું શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબનું માનવું છે. આ શ્લોકમાં ત્રણ ભુવનના નાથની વંદના કરવામાં આવી છે. તેથી તેનું મહાભ્ય પણ વિશેષ છે. આ શ્લોકના જપ દ્વારા થતા પ્રભાવને આ કથા દ્વારા શ્રી ગુણાકરસૂરિ મ.સા.એ રજૂ કર્યો છે. પ્રભાવક કથા-૧૮ (શ્લોક ૨૭)
ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાનપુર નગરના રાજા હાલની આ કથા છે. પુત્રપ્રાપ્તિ માટે તેણે શંકર આદિ દેવોની પૂજા, આરાધના, તપસ્યા કરી પણ કંઈ ફળી નહિ. ત્યાં કોઈ જૈન સાધુ વિહાર કરતાં આવેલા તેને રાજાને પૂછ્યું કે “મને પુત્ર થશે કે નહિ.'
મુનિરાજે કહ્યું કે હે રાજન ! તપસ્યાપૂર્વક એકચિત્તે ભક્તામર સ્તોત્રની આરાધના કરો કે જેનાથી ચક્રેશ્વરી દેવી તમારી મનોકામના પૂર્ણ કરશે.'