________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા - 157. (૩) ૧૪મી-૧૫મી સદીમાં રચાયેલ ચતુર્વિશતિ જિનસ્તુતિમાં પણ ભક્તામરની પ્રભા તાદૃશ્ય થાય છે :
"आनन्दसुन्दर पुरन्दर नम्रमौलि मौलिप्रभा समित (सहित) धौतपदारविन्दः । श्री नाभिवंशजलराशि निशीथिवनीशः
श्रेयः श्रियं प्रथयतु प्रथमोजिनेशः ||१||" (૪) ૧૫મી-૧૬મી સદીમાં અજ્ઞાત રચનાકારની સ્તુતિમાં પણ આ જ પ્રમાણે જોવા મળે છે :
भक्तामरेन्द्र नत पङ्कजमुद्विकार श्री वीतरागमजमाप्तमुदारतारम् । तीर्थेश्वरं स्वबलनिर्जितकर्मसारं
शान्तिं स्तुवे स्मरवितान विनाशकारम् |१| (૫) દેવકુલપાટક - ચિંતામણિ - પાર્શ્વનાથ સ્તોત્ર જે લગભગ ૧૫મી સદીના મધ્યભાગમાં રચાયેલું છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે તેમાં પણ ભક્તામરની છાપ જોવા મળે છે :
नमद्देवनागेन्द्रमन्दारमाला मरन्दच्छटा धौतपादारविन्दं । परानंद सन्दर्भ लक्ष्मीसनाथं
स्तुवे देव चिन्तामणि पार्श्वनाथम् ।।१।। (૬) લગભગ ૧૬મી સદીમાં જ્ઞાનભૂષણે રચેલ જિનસ્તુતિમાં પણ ભક્તામરનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે :
नम्रामरेश्वर किरीटनिविष्टशोणरत्नप्रभापटलपाटलिताघ्रिपीठाः । तीर्थेश्वराः शिवपुरीपथसार्थवाहाः
નિ:શેષ વસ્તુ પરમાર્થવિરો નત્તિ ITI ઉપર્યુક્ત જુદાં જુદાં પડ્યો પર ભક્તામર સ્તોત્રના પ્રભાવ જોઈ શકાય છે. શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ કરેલાં વિધાન અને ડૉ. જ્યોતિ પ્રસાદ જૈનના મંતવ્યને યથાર્થ પુરવાર કરે છે.
૯મી કે ૧૦મી સદીમાં થયેલાં રાજશેખરે માતગ દિવાકર નામથી મયૂર અને બાણની સાથે હર્ષ રાજાની સભાને સુશોભિત કરવાવાળા કવિના રૂપમાં એમનો ઉલ્લેખ કર્યો છે કે પછી કોઈ બીજાનો, એ કહી ન શકાય. આના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જેન જણાવે છે કે, “માતગ શબ્દથી તેમનું ચાંડાલ હોવાની કિંવદત્તી કાલ્પનિક લાગે છે. દિવાકર' શબ્દ પ્રશંસાસૂચક પણ હોઈ શકે છે. કેમકે એક પ્રમુખ શ્વેતામ્બરાચાર્ય દિવાકર' ઉપનામથી પ્રસિદ્ધ થઈ ગયા તો માનતુંગની સાથે