________________
432 છે |ભક્તામર તુલ્ય નમઃ |
ગોપાલ દેવદત્તે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ગગનચુંબી જિન મંદિર બનાવ્યું અને જૈન શાસનને જયવંતું બનાવ્યું. છ માસ સુધી ત્રિકાળ ભક્તામર સ્તોત્રનો જાપ લાભદાયક છે. પ્રભાવક કથા-૨૦ (શ્લોક ૩૩)
ગજરાતના ભીમદેવના સેનાધિપતિ જિણહાકની જૈન વીરતાની આ કથા છે. આ મહાન દંડાધિપતિએ ધવલપુર(ધોળકા)ના સમસ્ત ક્ષેત્રને ચોરોથી મુક્ત કરાવ્યું હતું. આ કથા અન્યત્ર પણ પ્રસિદ્ધ છે. આ મહાન શ્રાવકની ઉપર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ કૃપા કરી હતી. મુશ્કેલીઓથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા, જિણહાક શ્રાવકને શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા, શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર—ાય આપ્યો. આ કલિકુંડ મંત્રને જ આ ગાથાનો મંત્ર ગણાવ્યો છે અને આ મંત્ર સાથે શ્રી ભક્તામર સ્તોત્ર રોજ ગણવાની સલાહ આપી.
જિણહાક રોજ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરીને ત્રણેય કાળ ભક્તામર અને કલિકુંડ મંત્ર ગણતો હતો. આ આરાધનાથી તુષ્ટ થયેલી ચક્રેશ્વરી દેવીએ જ્યારે જિણહાકને ૩૩મો શ્લોક ગણતો હતો ત્યારે પોતાની પ્રતિહારીને તેની સામે પ્રગટ કરી. આ સેવિકા પ્રગટ થઈ જોઈને બોલી કે, “અમારી સ્વામિની શ્રી ચક્રેશ્વરી દેવી તારા પ્રત્યે પ્રસન્ન થઈ છે અને તેથી તેણીએ તારા માટે આ રત્ન મોકલાવ્યું છે તે તારી ભુજા પર બાંધવાથી તું સર્વને વશ કરી શકીશ.'
આ રન બાંધ્યા પછી જ તેણે ચોરોને મારી ભગાડ્યા હતા અને પોતાનું અને પોતાના માલનું રક્ષણ કર્યું હતું. ભીમસેન રાજાએ તેને સમગ્ર ગુર્જર ભૂમિકામાંથી ચોરો તથા ચોરોનું નામોનિશાન કાઢી નાખવા કહ્યું હતું. આ કાર્ય જિણહાકે પૂર્ણ કર્યું હતું અને અનુક્રમે તે ભીમસેન રાજાના મહાન દંડાધિપદને પામ્યો હતો.
શ્રી ધવલપુરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ જિનમંદિર બનાવ્યું અને કસોટી રત્નમાંથી શ્યામ વર્ણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવી. આ મહાન જિનાલયમાં પૂ. આ. દેવ શ્રી અભયદેવસૂરીશ્વરજી મસા.ના હાથે પ્રતિષ્ઠા કરાવી શ્રી ચકેશ્વરી દેવીનું પણ મંદિર બનાવ્યું તેણે સૂરિજી પાસે નવાંગી વૃત્તિની સેંકડો પ્રતો લખાવી. આ શહેરમાં અત્યારે પણ પોટલીવાળાનું દાન કોઈ લેતું નથી જે જિણહાકે માફ કરાવ્યું હતું. તે રિવાજ હજુ પણ ચાલુ છે.
ત્રિકાળ ભક્તામરના જાપથી કેટલો લાભ થાય છે તેની એક કથા વધુ જાણવા જેવી છે. ઘણી વાર મુખ્ય આરાધ્યદેવી પોતાની સહાયિકા દેવી દ્વારા પણ કાર્ય કરે છે. તે પણ જાણી શકાય છે. પ્રભાવક કથા - ૨૧ (શ્લોક ૩૪)
પ્રસ્તુત કથામાં શ્રી પાટલીપુત્રના સોમરાજા રાજવીની વાત છે. તે રાજપુત્ર નિર્ધનાવસ્થાને લીધે તેને દૂર કરવા માટે દેશાંતરે ગયો હતો. રસ્તામાં શ્રી વર્ધમાનસૂરિ નામના જૈન સાધુના