________________
192 | ભક્તામર તુલ્યું નમઃ || લીધે છોડી દેવું યોગ્ય ગણાય ? પ્રભુ પ્રત્યેનો તેમનો આ ઉત્કટ પ્રેમ બોલી રહ્યો છે. શ્રદ્ધા અને ભક્તિના સહારે તેઓ ભગવાનની સ્તુતિ કરવા ઇચ્છે છે. દઢ સંકલ્પ કરી તેઓ નિશ્ચય કરે છે કે :
कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्तः ।।
શક્તિ જોકે મુજ મહિ નથી ગુણ ગાઈશ આજે.” સૂરિજી પ્રભુને જણાવે છે કે ભલે મારી શક્તિ અલ્પ હોય પણ મારી ભાવના તો ઉત્તમ જ છે. એ વિશે લેશ પણ શંકા નથી અને તેથી એ જ નિર્ણય છે કે હું આજે આ અનન્ય ભક્તિને કારણે પ્રભુના ગુણો અવશ્ય ગાઈશ. અને તેમ કરવાના કોઈ પણ પ્રકારના વિપ્નને ગણકારીશ નહિ. જેમ મૃગલી કોઈ વિઘ્નનો ભય રાખતી નથી તેમ ' સૂરિજી પ્રભુ પ્રત્યેની અથાગ પ્રીતિ, શ્રદ્ધા અને ભક્તિમાં એવા તો લીન બની ગયા છે જાણે કે તેઓ પોતાની જંજીરોથી જકડાયેલી અવસ્થાથી પર થઈ ગયા હોવા જોઈએ. તે વિના આવી દઢતા પ્રકાશી શકે ખરી ?
શ્લોકમાં પ્રયુક્ત વિવિધ શબ્દના સંયોગથી તવ શબ્દના ત્રણ મહત્ત્વપૂર્ણ અર્થ મળે છે.
(૧) “સોSE તથાપિ તવ' – બુદ્ધિહીન, શક્તિહીન એવો હું તોયે તારો છું. સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચેલા સૂરિજી ભક્ત) પરમાત્મા સમક્ષ પોતાની સ્વ આલોચના કરે છે. રાગદ્વેષથી રહિત સંપૂર્ણ વીતરાગ દશામાં રત પરમાત્માને એમ કહેવું હું તારો છું આ ભક્તિની પરાકાષ્ઠા બતાવે છે.
(૨) તવ ભવિતવત' – અહીં સમર્પણની સર્વોચ્ચતાનું અંતિમ ધ્યેય જોઈ શકાય છે. તારી શક્તિને આધીન બની તારા વિશિષ્ટ પરમાર્થ ભાવથી પ્રભાવિત થનારો હું તારો ભક્ત અને મારા દ્વારા થતી ભક્તિ પણ તારી.
(૩) “તવ સ્તd તું પ્રવૃત્ત:' – તારી સ્તુતિ કરવા માટે હું તત્પર છું. વૃત્ત એટલે અવસ્થા. હે પરમાત્મા ! હું તારા સ્વરૂપમાં એકરૂપ બની મારા પોતાના સ્વરૂપને પ્રગટ કરું છું. મારી સાંસારિક અવસ્થાનું વિસર્જન કરીને તારી સ્તુતિ કરવા માટે પ્રસન્ન ચિત્તે હું તેને પામીને ધન્ય બની ગયો.
‘તવ' શબ્દ દ્વારા પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવ પોતાના સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચે છે. આ શ્લોકમાં શક્તિ, ભક્તિ અને પ્રીતિ આ ત્રણ શબ્દોનો અર્થ પણ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. શક્તિનો પ્રયોગ આત્મા માટે થયો છે. ભક્તનો આત્મા અનંત શક્તિમાન છે. પરંતુ પરમાત્મા વગર પોતાને શક્તિહીન સમજે છે. ‘તવ ભક્તિવશાતુ' – તારી ભક્તિના પ્રભાવથી. ભક્તિનો પ્રયોગ પરમાત્મા માટે થયો છે. પ્રીતિ શબ્દમાં માતા-પુત્રના સ્નેહસંબંધ દ્વારા આત્મા-પરમાત્માનો સાધના સંબંધ દર્શાવ્યો છે. ખરેખર તો આત્માની કર્મરહિત અવસ્થા જ પરમાત્મા સ્વરૂપે છે. સંસારના વિષય-કષાયનો મુકાબલો કરી બંધનોથી મુક્ત બને છે. ત્યારે કર્મોથી રહિત થાય છે