________________
202 × || ભક્તામર તુલ્યું નમઃ ।
-
તવ – તારું-તમારું અસ્તસમસ્તોષમ્ – સર્વે દોષોથી રહિત અત્ત દૂર થયા છે, જેમાંથી સમસ્ત ટોપ તે અન્ત સમસ્તોષ- અર્થાત્ સર્વે દોષોથી રહિત સ્તવનમ્ – ગુણોનું કીર્તન, વરે આસ્તામ્ · દૂર રહો, ત્વસંથા – તમારી સાર્તા, તમારા ચરિત્ર સંબંધી કરવામાં આવેલું કોઈ પણ કથન અપિ – પણ ખાતામ્ લોકનાં, પ્રાણીમાત્રનાં, ટુરિતાનિ ઇન્તિ – પાપોનો નાશ કરે છે. સહસ્રષ્ટિા: – સૂર્ય, સહસ્ર હજાર છે. વિળ જેનાં અર્થાત્ સૂર્ય, રે – દૂર હોવા છતાં, પ્રમા સમૂહ જેમાં હોય નતમાં જન્મે તે ખલખ - અર્થાત્ કમળ,
કમળ, તેનો આર્
एव તેનો પ્રકાશ જ પદ્મારેપુ – સરોવરમાં પદ્મ છે તે પદ્માર અર્થાત્ સરોવર, નતાનિ – કમળોને विकासभाञ्ज વિકસિત વિકસ્વર તે - કરે છે.
-
-
-
1
ભાવાર્થ :
હે નાથ ! સર્વે દોષોથી રહિત એવું આપનું સ્તવન-સ્તોત્ર તો દૂર રહો, પણ આપના વિષે કોઈ સાર્તા ક૨વામાં આવે કે આપના ચરિત્રનું કંઈ પણ કથન કરવામાં આવે તો તે પણ પ્રાણીમાત્રનાં સઘળાં પાપોને દૂર કરે છે.
સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેની પ્રભા - તેનો પ્રકાશ સરોવરમાં રહેલાં કમળોને પણ વિકસ્વર કરે છે. એમ અહીં પણ સમજવું.
વિવેચન : ગાથા ૯
સિદ્ધ અવસ્થામાં, સિદ્ધભૂમિમાં બિરાજે છે ભગવાન અને પૃથ્વી ઉપર સંસારમાં હોય છે ભક્ત તેમ છતાં સૂરિજીએ સિદ્ધભૂમિમાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનને પ્રત્યક્ષ ગણીને આ સ્તુતિની રચના કરી છે. ભક્તની ભક્તિ એ ભાવ છે જ્યારે પ્રભુના અનંત ગુણોનું સ્તવન એ તેમનો પ્રભાવ છે. તેમણે આગળના પદ્યોમાં સ્તવનનો અપૂર્વ મહિમા જણાવ્યો છે. આ શ્લોકમાં ભક્ત અને પ્રભુ વચ્ચેના સંબંધની પવિત્રતા અને ઘનિષ્ઠતા કેવી હોય છે તે જણાવે છે. અર્થાત્ ભાવ અને પ્રભાવ (ભક્ત અને ભગવાન) વચ્ચે કેવો ઉત્તમ સંબંધ હોય છે તેના મહત્ત્વને કમળ અને સૂર્યના ઉદાહરણથી સુંદર રીતે સમજાવ્યું છે.
દૂર દૂર આકાશમાં રહેલો સૂર્ય પોતાનાં કિરણોને સર્વત્ર ફેલાવે છે તેમાંથી કેટલાંક કિરણોનો પ્રકાશ પૃથ્વી પર, સરોવરમાં બીડાઈને પડેલાં કમળો પર પડે છે. સૂર્યનાં કિરણોના મુલાયમ, મખમલી સ્પર્શથી કમળની પાંખડી ધીમે ધીમે ખીલવા લાગે છે અને તે પૂર્ણ રૂપથી વિકસ્વર બને છે. આહ્લાદજનક સ્પર્શથી આનંદવિભોર બનીને સરોવ૨માં ઉત્તમ વાતાવરણ રચે છે. અર્થાત્ સૂર્યનાં કિરણોના પ્રભાવથી કમળો વિશિષ્ટ રૂપથી વિકાસ પામી પોતાનો આનંદ અને અહોભાવ પ્રગટ કરે છે. સૂર્યનાં આ કિરણો કમળને દિવસના અમુક જ ભાગમાં પ્રાપ્ત થાય છે. છતાં પણ કમળનો આવો વિકાસ થાય છે. સતત કિરણોનો સ્પર્શ રહ્યા કરે તો વિકાસ કેવો અદ્ભુત હોઈ શકે ?
સૂરિજી પ્રકૃતિમાંથી લીધેલા ઉદાહરણ દ્વારા ભક્ત અને ભગવાનના સંબંધને સ્પષ્ટ રૂપથી