________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 21 "दर्शनं देव देवस्य, दर्शनं पापनाशनम् ।
दर्शनं स्वर्ग सोपानम्, दर्शनं मोक्ष साधनम् ।।" અર્થાત્ દેવાધિદેવ એવા શ્રી અરિહંત પરમાત્માનું દર્શન કરવા યોગ્ય છે એ દર્શન પાપનો નાશ કરનાર છે. એ દર્શન સ્વર્ગમાં પ્રશસ્ત પગથિયા જેવું છે અને મોક્ષનું ઉત્તમ સાધન છે.
તાત્પર્ય કે દેવોના પણ જે દેવ છે એવા દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવનું દર્શન હંમેશાં કરવા યોગ્ય છે. અને આવા પ્રભુનું દર્શન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. સ્વર્ગ મેળવવા માટે પ્રથમ પગથિયારૂપ છે. કારણ પાપનો નાશ થાય તો પુણ્ય બંધાય અને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત કરવા માટે પગથિયારૂપ છે અને મોક્ષ મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. સાધ્ય સુધી પહોંચવા માટે દર્શન એક સાધન છે.
માનતુંગસૂરિએ આ શ્લોકમાં દર્શનનો અપૂર્વ મહિમા બતાવ્યો છે અને વીતરાગ સ્વભાવની ભક્તિ કરતાં કરતાં સિદ્ધિ પદને પામી શકાય છે. બ્લોક ૧૨મો
यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत् । तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां,
यत्ते समानमपरं नहि रूपमस्ति ।।१२।। જે જે ઉંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યાં છે, તે તે સર્વ ગ્રહી ગ્રહ અહ આપમાંહિ જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે
તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. (૧૨) શબ્દાર્થ
છે. – જે શાન્તરીવિમિઃ – જેમના મોહ-મમતા શાંત થવાથી પ્રશમરસની કાંતિ પ્રકટી છે એવા શાન્ત – થયો છે જેનો ૨ – મોહ-મમતા, તે શત્તરી - તેની – કાંતિથી યુક્ત, તે પાન્તર – અર્થાત્ જેના મુખ પર પ્રશમરસની કાંતિ પ્રગટી છે એવા.
પરમાણુમ: - પરમાણુઓ વડે જે અત્યંત સૂક્ષ્મ છે તે પરમાણુ તમ્ - તમે આપનું શરીર મિત: – બનેલું છે . ઘડાયેલું છે. નિર્માણ થયેલું છે. ત્રિભુવને – હે ત્રણ ભુવનના એકમાત્ર
અદ્વિતીય તતા મૂત – અલંકારરૂપ સુંદર શ્રેષ્ઠ રમણીય તિલક સમાન તાવા વ તુ – ખરેખર એટલા જ છે તે ગણવ: - તે અણુઓ સાપ – પણ પૃથિવ્યમ્ – આ પૃથ્વીમાં થત: – જેથી તે સમાનમ્ – આપના જેવું પરમ્ – બીજું રુપમ્ – રૂપ-સ્વરૂપ નર મારત – નથી.