________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 455
તાપે નાનાર્થમય, દેવયાનિ વિસ્તાર ।
સબ પ્રકાર યો કઠિન અતિ, જિન ગુન-વિરદ વિચાર ॥૨॥ બિન પ્રતિભા વ્યુત્પતિબિન, બિન અભ્યાસ કવિત્ત ।
કીન્હોં કેવલ ભક્તિવશ “પ્રેમી' કરિ એકચિત્ત ||૩||
યા મેં જો કછૂ ન્યૂનતા હોવાહિ મૂલ વિરુદ્ધ ।
સો સુધારિ પઢિ હૈ સુજન, કરિ નિજભાવ વિશુદ્ધ ॥૪॥
શ્રી નથુરામ પ્રેમીએ માનતુંગસૂરિનાં ગુણગાન કર્યાં છે. માનતુંગ ઉચ્ચ કવિ છે પણ એમની ભક્તિ ઉતંગ છે. અર્થાત્ તેમની કાવ્યશક્તિ કરતાં પણ તેમની ભક્તિ સવિશેષ પણે ચઢિયાતી છે. પ્રભુનાં ગુણગાન કરવાં એ અતિ વિષમ વિષય છે. તેના માટે વિશિષ્ટ પ્રતિભા, કવિતાનો બૃહદ્ અભ્યાસ જરૂરી છે. પરંતુ માનતુંગ તો માત્ર ભક્તિવશ થઈને, એકચિત્ત બનીને સ્તોત્રની રચના કરી છે. તે કદાચ ન્યૂન કક્ષાનું હોય અથવા મૂળ તત્ત્વથી વિરુદ્ધનું હોય તો સુજ્ઞજન તેને વિશુદ્ધ ભાવ કરીને સુધારીને વાંચશે.
શ્રી હીરાલાલ પાંડે ‘હી૨ક' એ એક સુંદર કાવ્યકૃતિની રચના કરી છે, ‘આચાર્ય માનતુંગ કે ચરણોં મેં' કાવ્યનું શીર્ષક જ જણાવે છે કે માનતુંગસૂરિના ચરણોમાં સમર્પિત.
શ્રી કુમુદકુમાર શાસ્ત્રી આ કાવ્ય વિષે જણાવે છે કે, “કવિએ આ રચનામાં ‘દોરાહા'થી ‘શાન્તિનગર ભોજપુર’ સુધીના ઐતિહાસિક સ્થળોના ઉલ્લેખ સાથે આચાર્ય માનતુંગની જીવનસાધનાની કલાત્મક ભવ્ય ઝાંખી પ્રસ્તુત કરી છે.'
'આચાર્ય માનતુંગ કે ચરણોં મેં'
માન હૈ ચેતન્ય કા ઉંચાઈ કિતની, કહ નહીં સકતા | સ્વપ્ન મેં આકાશ કો, કોઈ છૂ નહીં સકતા । અધ્યાત્મ કા હી ધ્યાન સચ્ચા માન હૈ,
માન કે તુમ વિશ્વ કો વરદાન હો ।
તુમ અકામી ઔર નિષ્કામી સરલ,
માન કી ઉંચી શિખર કો હૂ રહે ।
માનસે તુમ તુંગ ફિર ભી, વિનંત પ્રથમ જિનેન્દ્ર કો,
ભક્ત અમરો, વિબુદ્ધ ઇન્દ્રો કે સ્તવન કો,
આત્મ કી અનુભૂતિ-૨સ મેં ખો રહે |