________________
74 || ભક્તામર તુલ્ય નમઃ |
સમ્યગુ ચારિત્રની પરિભાષા : આચાર્ય પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિ માં સમ્યક્ ચારિત્ર વિશે લખ્યું છે કે, “સંસારર નિવૃત્તિ પ્રત્યાઘચ જ્ઞાનવત: વર્માતા-નિમિત્તોિપરમ: સીરિત્રમ્ !” અર્થાત્ સંસારબંધનને દૂર કરવાની અભિલાષા કરવાવાળા જ્ઞાની પુરુષ. કર્મોની નિમિત્તભૂત ક્રિયાથી વિરક્ત થઈ જાય છે, એને જ સમ્યક ચારિત્ર કહે છે. ચારિત્ર અજ્ઞાનપૂર્વક ન હોય, એટલે જ સમ્યક વિશેષણ જોડવામાં આવ્યું છે.”
આચાર્ય ભટ્ટઅકલંકે 'તત્ત્વાર્થવાત્તિકામાં અને શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થ વૃત્તિમાં આ જ પરિભાષાનું સમર્થન કર્યું છે. ‘ચારિત્રપાહુડીમાં આચાર્ય કુંદકુંદ ચારિત્રની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે,
જે જાણઇ તંણાણે જે પિચ્છઇ ચ દંસણું ભણિયું '
રાણસ્સ પિચ્છસ્સ ય સમવર્ણા હોઈ ચારિત III અર્થાત્ જે જાણે તે જ્ઞાન અને જે જુએ તે દર્શન, તથા આ બંનેના સમન્વયને ચારિત્ર કહે છે.”
જૈન શાસ્ત્રો અનુસાર માત્ર કર્મકાંડ સમ્યફ ચારિત્ર નથી, તેની પાછળ સાચો ભાવ હોવો જ જોઈએ... એને જ અત્યંતર ચારિત્ર કહે છે.
ચારિત્રના મહિમાનું વર્ણન કરવું ચારિત્ર ભક્તિ જ છે. આચાર્ય સોમદેવે સંયમ અને ધ્યાન આદિ યુક્ત ચારિત્રને નમસ્કાર કરતાં જણાવ્યું છે કે, ચારિત્ર તો “સમ્યકત્વરત્નાકર' છે. એના વિના મોટા મોટા મુનિઓનાં ઉગ્ર તપ પણ વ્યર્થ છે.” તેઓ ભાવવિભોર થઈને બીજા સ્થાને જણાવે છે કે, “મનોકામનાઓને પૂરી કરવાને માટે ચારિત્ર ચિંતામણિ સમાન છે, સૌંદર્ય તથા સૌભાગ્યની નિધિ છે, ઘરની વૃદ્ધિને માટે લક્ષ્મી છે, અને બળ તથા આરોગ્ય આપવામાં પૂર્ણ રૂપથી સમર્થ છે. મોક્ષને માટે કરવામાં આવેલા પંચાત્મક ચરિત્રને હું નમસ્કાર કરું છું. એનાથી વિવિધ સ્વર્ગાપવર્ગ પ્રાપ્ત થાય છે.”
આચાર્ય કુંદકુંદ ચારિત્રભક્તિ કરવાથી શું ફળ મળે છે, તે વિશે જણાવે છે કે, “પૂર્ણ ચારિત્ર પાળીને મોક્ષે ગયેલા સિદ્ધોને વંદના કરવાથી ચારિત્રગત વિશૃંખલતા દૂર થાય છે અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.”
સ્વયંભૂસ્તોત્રમાં આચાર્ય સમન્તભદ્ર જણાવે છે કે સમ્યક્યારિત્ર દ્વારા જેઓએ અરિહંત પદ પ્રાપ્ત કર્યું છે તેનું ત્રિલોક પૂજામાં અતિશય આવશ્યક સ્થાન છે.
આચાર્ય પૂજ્યપાદે આચારના પાંચ ભેદ કર્યા છે – જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વીર્યાચાર અને ચારિત્રાચાર. આ પાંચેની વંદના કરી છે અને પાંચ પ્રકારના આચારોને ધારણ કરવાવાળા મુનિઓને પણ નમસ્કાર કર્યા છે.