________________
474 છે તે ભક્તામર તુલ્યું નમઃ ||
યંત્ર દ્વારા દેવ-દેવીઓની પૂજા થાય છે. ત્યાં દેવ કે દેવીની મૂર્તિ કે ફોટા નથી રાખવામાં આવતાં પરંતુ યંત્રની આકૃતિમાં તેમનું સ્થાપન કરવામાં આવે છે. અર્થાત્ યંત્ર એટલે દેવ-દેવીનું નગર, ઘર કે શરીર માનવામાં આવે છે. યંત્રની એવી વિધિવત્ રચના કરવામાં આવે છે કે જે દેવ-દેવીનું યંત્ર હોય તે દેવ-દેવી યંત્રમાં સાક્ષાત્ નિવાસ કરે છે અને તે અર્થે જ મંત્રોની પૂજાઅર્ચના થતી હોય છે. યંત્ર અને દેવ કે દેવીનો સંબંધ એ પ્રકારનો હોય છે કે જેવી રીતે શરીરથી આત્માને જદો ન કરી શકાય તેવી રીતે દેવી-દેવતાને અને યંત્રને જુદાં ન કરી શકાય. અર્થાત. દેવી-દેવતા અને યંત્ર એક જ હોય છે, અભિન્નતાથી જોડાયેલાં હોય છે. દેવી-દેવતાઓ યંત્રને આધીન હોય છે. યંત્ર-મંત્રને આધીન હોય છે અને મંત્ર મંત્રકર્તાને આધીન હોય છે. આમ દેવીદેવતા, યંત્ર અને મંત્ર ત્રણે એકબીજા સાથે જોડાયેલાં છે. આથી માનવના ઉદ્ધારાર્થે દેવી-દેવતાઓએ વિવિધ યંત્રોની વિધિ કહી છે.
યંત્ર અને મંત્ર બંને એકબીજા સાથે સંલગ્ન છે. તેથી કરીને મંત્રોની જેમ યંત્રો પણ કાર્યસિદ્ધિનું સાધન મનાય છે. માત્રમાં શબ્દનું પ્રાધાન્ય હોય છે. જ્યારે યંત્રમાં આકૃતિ અને તેની ગોઠવણની પ્રધાનતા હોય છે. યંત્રમાં જેટલાં યંત્રો લગભગ તેટલા પ્રકારની આકૃતિ જોવા મળે છે. યંત્રમાં આકૃતિઓનો પાર નથી. પરંતુ તેમાં સૌથી વધારે ભૌમિતિક પ્રકારના ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળનો આકારની પ્રધાનતા જોવા મળે છે. આકૃતિરૂપ યંત્રોનો આધાર કયા મંત્ર કે દેવી-દેવતાનું યંત્ર છે, તેના પર રહેલો છે. જુદા જુદા આકારો જુદાં જુદાં યંત્રો માટે હોય છે.
જૈન સંપ્રદાયમાં વર્ધમાન વિદ્યાનું યંત્ર, વિજયપતાકા યંત્ર તથા ભક્તામર સ્તોત્ર વગેરેને લગતાં ઘણાં યંત્રો ચતુષ્કોત્મક છે. શુક્રનું યંત્ર પંચકોણાત્મક હોય છે અને નરનારી મારણયંત્ર પણ પાંચ પાંખડીનું જોવામાં આવ્યું છે. ગુરુ અને શનિનાં યંત્રો પકોણાત્મક હોય છે. શ્રી પદ્માવતીજીનું યંત્ર પણ ષટ્કોણાત્મક હોય છે અને દિવ્યસ્તંભનાદિ બીજાં પણ કેટલાંક યંત્રો ષટ્કોણાત્મક હોય છે. બુધનું યંત્ર અષ્ટકોણાત્મક હોય છે અને કેટલાક વરનાશક યંત્રો પણ અષ્ટકોણાત્મક હોય છે. સૂર્યનું યંત્ર દ્વાદશકોણાત્મક હોય છે અને ચંદ્રનું યંત્ર ષોડશકોણાત્મક હોય છે.
જૈન સંપ્રદાયમાં શ્રી સિદ્ધિચક્રજી તથા શ્રી ઋષિમંડળજીનાં યંત્ર વર્તુળમાં હોય છે.
આ ઉપરાંત પણ વિવિધ પ્રકારનાં યંત્રોની આકૃતિઓ જોવા મળે છે. કમલાકૃતિ, વૃક્ષની આકૃતિ, સર્પાકાર આકૃતિ, અંડાકૃતિ, પશુઓની આકૃતિ અને મનુષ્યની આકૃતિના રૂપે પણ યંત્રો જોવા મળે છે.
સંપૂર્ણ ક્રિયાશુદ્ધિને લીધે પ્રતિષ્ઠિત કરેલાં યંત્રો ઘણાં ફળદાયી હોય છે અને આ અંગે ખાસ વિધિ-વિધાન નક્કી થયેલાં હોય છે. આવાં યંત્રો જુદા જુદા મંત્રો અને દેવી-દેવતાઓ પ્રમાણે, ગ્રહ પ્રમાણે જુદી જુદી આકૃતિમાં અને ધાતુ કે અન્ય કોઈ પદાર્થ પર દોરેલાં રેખાચિત્રો હોય છે. યંત્ર મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (૧) પૂજનયોગ્ય યંત્ર, (૨) પ્રાયોગિક યંત્ર.
પૂજનયોગ્ય યંત્રો સોના, ચાંદી, કાંસા કે પંચધાતુનાં બનાવવામાં આવે છે. આ સિવાય યંત્રપટો