________________
શ્રી ભક્તામર સ્તોત્ર એ 199 ત:રષ્યતિ – ચિત્તને હરી લેશે. નનું – ખરેખર ૩૬ વિવું – પાણીનું ટીપું, ૩૬ – પાણી તેનું વિવું – ટીપું તે, કવિન્દુ: નલિનીવર્તપુ - કમલિનીનાં પાંદડાં ઉપર નલિની – કમલિની વર્લેષ - પાંદડાં ઉપર, વત્તાયુતિમ્ – મોતીની કાંતિને મુવતીન . મોતી તેની સ્તુતિ - એટલે કાંતિ તે મુવરાછઘુતિ તેને પૈતિ પામે છે. ભાવાર્થ :
હે નાથ ! અનેક જન્મનાં ઉપાર્જન કરેલા પ્રાણીઓનાં પાપ તમારી સુંદર સ્તવના કરવાથી તત્કાળ સંપૂર્ણ નાશ પામે છે. એમ માનીને તમારું આ સ્તોત્ર મારા જેવા મંદબુદ્ધિવાળા વડે આરંભાય છે, પણ તમારા પ્રભાવથી તે સત્પરષોના ચિત્તનું હરણ કરશે. કારણ કે પાણીનું ટીપું કમલિની પત્ર પર પડતાં તે મોતીની કાંતિ અવશ્ય ધારણ કરે છે. વિવેચન : ગાથા . ૮
પ્રથમ સાત શ્લોકમાં શ્રી આદિનાથ ભગવાન ઉદ્યોત કરનાર, પાપનો નાશ કરનાર, સંસારરૂપ સમુદ્રમાં પરમ આલંબનરૂપ અનંત ગુણોના સાગર અને દેવેન્દ્રો દ્વારા ખવાયેલા છે અને પ્રભુને સૂરિજી પોતાની પ્રત્યક્ષ માને છે. ત્યારે તેમને અનન્ય ભક્તિ કરવાનો ઉત્તમ ભાવ પ્રગટ થયો છે અને એવા ઉત્તમ ભાવ પ્રગટાવવામાં વિશેષ કારણભૂત જો કોઈ હોય તો તે “શ્રી આદિનાથ પ્રભુ જ છે એવું સૂરિજીને લાગે છે. અહીંથી પ્રભુની સ્તવનાનો પ્રારંભ થાય છે. પ્રભુ અને ભક્તની એકરૂપતાનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી એકરૂપતા ન હો ત્યાં સુધી પરિપૂર્ણતા થઈ શકતી નથી. આકાંક્ષા સાથે અનુરાગ અને અનુરાગની સાથે ઉપલબ્ધિ એ ભક્તિની સાર્થકતા છે.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, “હે નાથ ! મેં તમારા સ્તવનનો મહિમા જાણ્યો છે અને તેનાથી હું પ્રભાવિત થઈને હું મંદબુદ્ધિવાળો હોવા છતાં આ સ્તોત્રનો પ્રારંભ કરી રહ્યો છું. પરંતુ મને એવો વિશ્વાસ છે કે આ સ્તોત્ર સત્પુરુષોના ચિત્તનું હરણ કરશે.”
પ્રભુના મહિમાનો પ્રભાવ જાણ્યા છે તેથી તેમનું સ્તવન કરવાના ભાવ મારામાં પ્રગટ્યા છે. અને તેમ થવામાં આપ જ પ્રભાવક છો. કારણ કે આપના વિશિષ્ટ પ્રકારના પ્રભાવ વિના મારા જેવો મંદબુદ્ધિવાળો આત્મા આવું વિશિષ્ટ અને મહાન કાર્ય કરવા માટે ક્યારે પણ પ્રવૃત્ત થઈ શકે નહિ. હું જે વ્યક્તિની સ્તુતિ કરી રહ્યો છું, તેના અનંત પ્રભાવ અને અનંત સામર્થ્યનો લાભ મને મળશે. સૂરિજી આગળ કહે છે કે, મારી સ્તુતિ સર્વ વિદ્વાન અને સત્પુરુષોના ચિત્તને પ્રભાવિત કરશે, મારી રચના સામાન્ય છે છતાં ચિત્તાકર્ષક છે. હું જેમની સ્તુતિ કરી રહ્યો છું તેમની સ્તુતિમાં જ એટલી શક્તિ છે કારણ કે આપનો પ્રભાવ જ એવો છે. આપ ખૂબ શક્તિશાળી અને ખૂબ સામર્થ્યવાન છો.
સૂરિજીએ પ્રભુના અનંત ગુણોનો પ્રભાવ જાણીને અને તેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થઈને પોતે ગમે તેટલી મંદબુદ્ધિવાળા છે પણ પોતે રચવા ધારેલી સ્તુતિ સ્તવના પ્રભુના પ્રભાવથી અલંકૃત થયેલી છે. પ્રભુના અનંત ગુણોના પ્રભાવ નીચે અને તેની જ પ્રેરણાથી રચાયેલી સ્તુતિ સુંદર