________________
'ભક્તામર સ્તોત્રમાં મંત્ર- યંત્ર તંત્ર અને અષ્ટકો 491 “ॐ ह्रीं आमोसहिलद्धीणं ॐ हीं विप्पोसहिलद्धीणं ॐ हीं खेलोसहिलद्धीणं ॐ ह्रीं जल्लोसहिलद्धीणं ॐ ही सव्वोसहिलद्धीणं नमः स्वाहा ।।"
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મંત્રમાં આવતાં ૐ હૂ પાઠ વિશે જણાવે છે કે “અહીં તથા દશમા, અગિયારમા અને ચૌદમા મંત્રમાં ૐ હું પછી પૂર્વ એવો પાઠ આવે છે. પણ તે વિધિસૂચક હોવાથી મૂળ મંત્રનો પાઠ નથી. તેનાથી એવું સૂચન થાય છે કે આનું દરેક પદ ૐ હું પૂર્વક બોલવું. એટલે અહીં તેવો પાઠ આપેલો છે. ઉપર જણાવેલ સારસ્વત વિદ્યાનો તથા બારમો અને તેરમો મંત્ર આ પ્રમાણે જ તથા દશમ, અગિયારમા અને ચૌદમાં મંત્રમાં એટલે પ્રત્યેક પદને 3ૐ તથા હૂ જોડીને જ બોલાય છે." (૭) વિષાપહારિણી વિદ્યા :
૧૪મા શ્લોકની પૂર્તિ રૂપે આ વિદ્યા અપાયેલી છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો અને પછી વિષાપહારિણી વિદ્યા મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
"ॐ ही आसीविसलद्धीणं ॐ ही खीरासवलद्धीणं ॐ ह्रीं महुसायवलद्धीणं ॐ ह्रीं માસવર્ણદ્વી નમ: રવET ||''
કોઈ પણ મનુષ્યને ઝેર ચડ્યું હોય તો આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રીને પાવાથી તે ઊતરી જાય છે. (૮) ત્રિભુવન સ્વામીની વિદ્યા :
૧૪મા શ્લોકની પૂર્તિરૂપે આ બીજી ત્રિભુવનસ્વામીની વિદ્યા પણ અપાયેલી છે તેથી પ્રથમ ૧૪મા શ્લોકનો ૧૦૮ વાર જાપ કરી પછી આ વિદ્યાનો જાપ કરવો. પ્રવાલની માળાથી નિત્ય આ મંત્રનો ૩,૦૦૦ વાર જાપ કરતાં સર્વ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ___“ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु સ્વાહા” (૯) સ્વપ્ન દ્વારા શુભાશુભ જાણવાનો મંત્ર :
૧૫મા શ્લોકની પૂર્તિ રૂપે આ મંત્ર અપાયેલો છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને આ મંત્રનો જાપ કરવો. તેનો વિધિ આ પ્રમાણે જણાવ્યો છે.
પુષ્પાર્કનો યોગ આવે ત્યારે સંધ્યા સમયે સ્થાન કરીને સુગંધી તેલ-ચંદન વગેરેથી શરીરે વિલેપન કરી શરીરને પવિત્ર કરવું અને સુગંધી પુષ્પોની માળા ધારણ કરવી. પછી જ્યાં સ્ત્રીનો સંસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં જઈને ગોમય(ગાયનું છાણ)થી લીંપેલી ભૂમિ પર ઊભા રહીને સ્ફટિકની માળાથી પૂર્વાભિમુખ ૧૦૮ વાર જાપ કરવો. તે પછી દક્ષિણ દિશા ભણી ઊભા રહીને એ જ મુજબ ૧૦૮ જાપ કરવા. તે પછી પશ્ચિમ અને ઉત્તર દિશા ભણી ઊભા રહીને