________________
490 // ભક્તામર સુભ્ય નમઃ લાભ થાય છે.
"ॐ ह्रां ह्रीं ह्रीं ऋषभशान्तिधृतिकीर्तिकान्तिबुद्धि लक्ष्मी ही अप्रतिचक्रे। फट विचक्राय स्वाहा । शान्त्युपशान्तिसर्वकार्यकारी भव देवी । अपराजिते ॐ ठः ठः ।" (૩) સર્વરક્ષાકારી વિદ્યા :
આ વિદ્યા ૮–૯મા શ્લોકની પૂર્તિ રૂપે અપાયેલી છે એટલે સૌપ્રથમ આ બે શ્લોકની માળા ફેરવીને પછી આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. આ મંત્ર જાપ કરવાથી વિકટ પ્રસંગોમાં રક્ષા થાય છે.
"ॐ हीं जूं श्री चक्रेश्वरी मम रक्षां कुरु कुरु स्वाहा ।"
સામાન્ય રીતે જે પુરષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય છે અને સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત હોય તે વિદ્યા કહેવાય છે અથવા પાઠસિદ્ધિ હોય તે મંત્ર કહેવાય અને ક્રિયા (અનુષ્ઠાન) સિદ્ધ હોય તે વિદ્યા કહેવાય છે. આમ છતાં વ્યવહારમાં મંત્ર અને વિદ્યાનો પર્યાય શબ્દ તરીકે પણ પ્રયોગ થાય છે. અહીં વિદ્યા શબ્દનો પ્રયોગ એ રીતે થયેલો જણાય છે. () સર્વસિદ્ધિકાર મંત્ર :
૧૧મા શ્લોકની પૂર્તિ રૂપે આ મંત્ર અપાયેલો છે. તેથી સૌપ્રથમ તેની માળા ફેરવવી. પછી આ મંત્રનો શુદ્ધિપૂર્વક ૩૨ વાર જાપ કરવો. સાયંકાળે પણ આ મંત્રનો ૩૨ વાર જાપ કરવો જરૂરી છે.
"ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरु રુ સ્વET'' (૫) સારસ્વત વિદ્યા :
૧૨મા શ્લોકની પૂર્તિ રૂપે આ વિદ્યા અપાયેલી છે એટલે સૌપ્રથમ તેની માળા ફેરવવી અને પછી શ્વેત શુદ્ધ રેશમી વસ્ત્રો પહેરીને સ્ફટિકની માળાથી આ વિદ્યાનો ૧૦૮ વાર જાપ કરવો. તેથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યાની વૃદ્ધિ થાય છે.
"ॐ ह्रीं चक्रद्वसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारशंगधारीणं ॐ ह्रीं उज्जुमईणं ॐ ह्रीं विउलमईणं ॐ नमः स्वाहा'
સામાન્ય રીતે જ વખતે નમઃ અને હોમ વખતે સ્વાહા આવે છે પરંતુ કેટલાક મંત્રોમાં આ બંને પદો સાથે પણ બોલવાના હોય છે. (૬) રોગાપહારિણી વિદ્યા :
૧૩મા શ્લોકની પૂર્તિ રૂપે રોગપહારિણી વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરવો અને પછી આ વિદ્યામંત્રનો ત્રિસંધ્ય (સવાર – બપોર – સાંજ) ૧૦૮ વાર જાપ કરવો.