________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ છે 503 અને ઈ. સ. ૧૫૯૬માં ૭૫૮ શ્લોકપ્રમાણ આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. તેનું નામ બાલહિતષિણી' રાખેલું છે. આ વૃત્તિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના ૭૯મા મણકામાં પ્રસિદ્ધ થયેલી છે. આ પણ અકબરના સમયની રચના છે.
(૧૪) તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રના શિષ્ય શ્રી રત્નચંદ્રગણિએ ઈ. સ. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચવાનો ઉલ્લેખ પ્રદ્યુમ્નચરિત્રમાં પ્રાપ્ત થાય છે. તેમણે કલ્યાણમંદિર, વીરસ્તવ, શ્રી ઋષભવીર સ્તવ આદિ બીજી પણ અનેક કૃતિઓ પર વૃત્તિ રચેલી
(૧૫) તપાગચ્છીય શ્રી લાભવિજય-શિષ્યએ વિ. સં. ૧૬૨૭ અને ઈ. સ. ૧૫૭૦માં આ સ્તોત્ર પર અવસૂરિ રચેલી છે.
(૧૬) ધર્મદાસ મુનિએ ઈ. સ. ૧૭મી સદીના અંતમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચી છે.
(૧૭) તપાગચ્છીય શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી મેઘવિજયે આ સ્તોત્ર પર ઈ. સ. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં ૧૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. તે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકામાં પ્રસિદ્ધ થયેલી છે.
(૧૮) શ્રી ક્ષેમદેવે આ સ્તોત્ર પર અવચૂરિ રચેલી છે. તેઓ અજ્ઞાતકાલીન છે. પરંતુ તેઓ કદાચ ૧૫મી સદીની આસપાસ થયા હશે, કારણ કે ક્ષેમદેવ, ધનદેવ, સિંહદેવ જેવાં નામો આ સમયમાં મળી આવે છે.
(૧૯) શ્રી પદ્મવિજયમુનિએ આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. અમદાવાદ ડેલાના ભંડારમાં તેની પ્રતિ છે.
(૨૦) શ્રી હરિતિલકગણિએ આ સ્તોત્ર પર વૃત્તિ રચ્યની નોંધ મળી આવે છે. ઈડરના ભંડારમાં તેની પ્રતિ ઉપલબ્ધ છે.
(૨૧) શ્રી લક્ષ્મીકીર્તિએ આ સ્તોત્ર પર બાલાવબોધ રચેલો છે. (૨૨) શ્રી શુભવર્ધને પણ આ સ્તોત્ર પર બાલાવબોધ રચેલો છે. (૨૩) શ્રી સુધાનંદનસૂરિના શિષ્ય ઇન્દ્રરત્ન-ગણિએ આ સ્તોત્ર પર અવચૂરિ રચેલી છે.
(૨૪) શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય શ્રી શુભશીલગણિએ વિ. સં. ૧૫૯૦ની આસપાસ શ્લોકબદ્ધ ભક્તામર સ્તોત્ર માહાસ્ય રચેલું છે. તેની પ્રતિ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, પૂનામાં ઉપલબ્ધ છે. આ શુભાશીલગણિએ અનેક ગ્રંથો રચ્યા છે જેમાં વિક્રમચરિત્ર, પૂજા પંચાશિકા', શત્રુજય કલ્પવૃત્તિ', ભરતેશ્વર બાહુબલિવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.
દિગમ્બર સંપ્રદાયમાં પણ અનેક વૃત્તિઓ આ સ્તોત્ર પર મળી આવે છે જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે :