________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 97 અને મુનિઓ નાનપણથી જ શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. શુદ્ધ ચારિત્રનું પાલન કરતાં આવી ધાર્મિક વૃત્તિને કારણે તેમનું મન સંસારથી વિરક્ત થઈ જતું હતું. તેઓ ધર્મધ્યાનમાં જ વિશેષ પ્રવૃત્ત રહેતા હતા. તપ-તપ-ધ્યાન-આરાધના દરમ્યાન કોઈક એવી ક્ષણ આવી જતી જ્યારે તેમના મુખમાંથી શબ્દો સરી પડતા, જે સ્તોત્રનું સ્વરૂપ ધારણ કરતા.
સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ !' તત્ત્વાર્થસૂત્રના પ્રથમ શ્લોકને અનુસરીને આચાર્યો સ્તોત્રની રચના ભૌતિક સુખ ખાતર ન કરતાં મોક્ષગામી બનવા માટે જ કરતા હતા. તેથી જ દર્શન-જ્ઞાન-ચારિત્રમૂલક પ્રવૃત્તિઓનો પ્રભાવશાળી પરિચય સ્તોત્રસાહિત્યમાં સૌથી અધિક મળે છે. સ્તોત્રોમાં ભક્તિની પ્રધાનતાની સાથે તત્ત્વોની પ્રધાનતા પણ સુવિશેષ જોવા મળે છે તેના પરિણામે લલિત સ્તોત્ર અને દાર્શનિક સ્તોત્ર બંનેની પરંપરા પૂર્ણ વિકસિતપણે થયેલી જોવા મળે છે.
જૈન સાહિત્યના સ્તોત્રસાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ઘ, સમૃદ્ધ અને અદ્ભુત પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તીર્થકરો કે સિદ્ધો, તેમજ અન્ય દેવોનાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીન કાળથી આજ પર્યત સ્તોત્રસાહિત્યની શ્રી સુવૃદ્ધિ કરતા રહ્યા છે. પ્રગટ થયેલા સ્તોત્રસંગ્રહો જેવા કે “જૈન સ્તોત્રસંગ્રહ', જૈન સ્તોત્ર સમુચ્ચય', કાવ્યમાલા ગુચ્છક – ૭' વગેરેના વિહંગાવલોકનથી પણ જેન સાહિત્યમાં સ્તોત્રની વિપુલતા, વિવિધતા અને તેની અદ્ભુત સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
વિવિધ સ્તોત્રસંગ્રહના આધારે સાહિત્યના પ્રારંભિક યુગથી જૈન સ્તોત્રકારોએ સંસ્કૃતના સ્તોત્રકાવ્યોને પ્રતિષ્ઠિત કરવામાં અદ્ભુત ફાળો આપ્યો છે. પ્રચલિત અને ઉપલબ્ધ સ્તોત્રકારો અને સ્તોત્રોની કેટલીક શતાબ્દીવાર યાદી નીચે પ્રમાણે છે.
(૧) ગૌતમ સ્વામી : તેમણે ઋષિમંડલસ્તવન રચના કરી હતી. તેઓ વર્તમાન ચોવીશીના અંતિમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા.
(૨) સ્વામી સમન્તભદ્ર : વિક્રમ સંવત બીજી સદીમાં થયેલા પ્રાચીન સ્તોત્રકાર છે. જેમને “#ત ામક વાદ્રિ વાભિત્વ પIનંત’ વિશેષણથી સંબોધિત કરવામાં આવ્યા છે. એમણે જૈન સ્તોત્ર સાહિત્યમાં અનેકવિધ નવીન પરંપરાઓની શરૂઆત કરી છે. (૧) સ્વયંભૂ-સ્તોત્ર (૨) દેવામસ્તોત્ર (૩) જિનશતક-સ્તોત્ર (૪) વીરજિન-સ્તોત્ર. આ ચાર એમનાં મુખ્ય સ્તોત્રો છે.
આચાર્ય સમન્તભદ્ર ભક્તિરસ સંપન્ન સ્વયંભ-સ્તોત્ર' અને “સ્તુતિવિદ્યાસ્તોત્રોની રચના કરી છે. સ્વયંભૂ-સ્તોત્ર ૧૪૩ શ્લોકાય છે અને એક કિંવદન્તી અનુસાર તેના ઉચ્ચારણથી તેમણે ચંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ કરી હતી. આ છે સ્તોત્રનો અદ્ભુત મહિમા. ભગવાનના ગુણસ્મરણ માત્રથી મન પાપમુક્ત થાય છે. યથા :
"न पूज्यार्थस्तवयि वितरागे न निन्दवा नाथ सिधान्त वैरे । તથાપિ તે પૂછ્યું શુમૃતિનઃ પુનાતિ ચિત કુકરતા નિમ્ય:" || ૬૭||