________________
272 ! ભક્તામર તુલ્ય નમઃ | રસધારા બંને સાક્ષાત્ સ્વરૂપ બની ગયા છે. તેમણે વહેવડાવેલી ભક્તિની ધારા દરેક ભક્તને ભક્તિરસમાં તરબોળ કરી મૂકે તેવી છે. શ્લોક ૨૭મો
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैस्त्वं संश्रितो निरवकाशतया मुनीश ।। दोषैरुपात्तविविधाश्रयजातगः,
स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ।।२७।। સર્વે ઉચા ગુણપ્રભુ અહા આપમાંહિ સમાયા તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહિં તહિં ફરે દૂર ને દૂર જાયે.
જોયા દોષે કદિ નવ પ્રભુ આપને સ્વપ્નમાંયે.(૨૭) શબ્દાર્થ
મુનીશ: – મુનીશ્વર, ચરિ નામ – મને એમ લાગે છે કે, નિરવાતિયા – અન્ય સ્થળે આશ્રય ન મળવાના કારણે, ગોવે. |ળે. – સમગ્ર ગુણો વડે. બધા ગુણોએ, ત્વમ્ સંશ્રિત. – આપનો આશ્રય લીધો છે, સત્ર શે વિરમ – એમાં આશ્ચર્ય શું?, તોપૈ: – દોષો વડે, ઉપર વિવિધાશ્રય - અનેક સ્થળે આશ્રય પામવાથી, નાત ર્વે: – ગર્વ થઈ રહ્યો છે, ચિત્ પ – કોઈ પણ વખત – ક્યારેય પણ, સ્વનાતરેપ – સ્વપ્નાવસ્થામાં પણ, નશિતઃ સિ – આપને જોયા નથી. ભાવાર્થ :
હે મુનીશ્વર ! મને એમ લાગે છે કે અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ સમગ્ર ગુણોએ આપનામાં આશ્રય લીધો છે, એમાં આશ્ચર્ય શું ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને ગર્વ થઈ રહ્યો છે એ દોષોએ ક્યારેય સ્વપ્નમાં પણ આપને જોયા નથી, એમાં પણ આશ્ચર્ય શું? વિવેચનઃ ગાથા ૨૭
સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના આરંભથી લઈને ૨૬મા શ્લોક સુધી ભગવાનના વિવિધ પ્રકારે દર્શન, તેમના સ્વરૂપની સમજ, તેમણે વિધાન કરેલો મોક્ષમાર્ગ, તેમણે બતાવેલ વિધિ પર ચાલનાર મુનિજનો, સમ્યગુદૃષ્ટિ જીવો, દેવો-દેવેન્દ્રો અને હરિહર આદિ દેવોની વાત કરી. આ ૨૭મા શ્લોકમાં સૂરિજીએ પ્રથમ વાર જ સૃષ્ટિના અન્ય જીવો જેમણે પ્રભુને જોયા નથી. તેમની વાત સાંભળી નથી અને તેમના અલૌકિક, અનન્ય, મનોહારી, સર્વગુણસંપન્ન સ્વરૂપને જાણ્યું નથી અને સાથે સાથે મોક્ષમાર્ગના વિધિ-વિધાનની પણ જેમને ખબર નથી એવા સંસારમાં મિથ્યા ભવભ્રમણ