________________
72
।। ભક્તામર તુલ્યું નમઃ II
તેમના ગુણો સરળતાપૂર્વક ગ્રહણ કરીને, તેઓ જ્યાં બિરાજમાન છે તે લોકના ઉચ્ચ શિખર ઉપર પણ બેસાડવા માટે તેઓ સામર્થ્યવાન છે. કોઈક વિદ્વાને સિદ્ધને નમવા માટે ભાવનમસ્કારને સર્વોત્તમ માન્યા છે. તથા સિદ્ધોની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૨. શ્રુત ભક્તિ
શ્રુત જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકારોમાંથી આ બીજો પ્રકાર છે. આચાર્ય શ્રુતસાગરે ‘તત્ત્વાર્થવૃત્તિ’માં લખ્યું છે કે, “શ્રવળ શ્રુત જ્ઞાન વિશેષ ત્યર્થ:, ન તુ શ્રવળમાત્રમ્ | શ્રવમાં શ્રુતમિત્યુત્તે શ્રવળમાત્ર ન મવતિ, જિન્તુ જ્ઞાનવિશેષ: ।'' અર્થાત્ પહેલાં લેખનક્રિયાનો જન્મ ન હોવાને કારણે, સઘળું જ્ઞાન ગુરુ-શિષ્યપરંપરાથી સાંભળીને જ પ્રાપ્ત થતું હતું. શાસ્ત્રોમાં નિર્બંધ થયા પછી પણ તે શ્રુત સંજ્ઞાઓમાં જ અભિહિત થતું રહ્યું.
અનેક જૈનાચાર્યોએ શ્રુત ભક્તિની પરિભાષા આપતાં જણાવે છે તેવી રીતે સમન્તભદ્ર જણાવે છે કે “તે જ શાસ્ત્ર શ્રુત કહેવાશે, જેમાં ભગવાનની દિવ્ય ધ્વનિનું પ્રતિનિધત્વ થયું હોય.''
શ્રુત એટલે એક પ્રકારનું જ્ઞાન. આચાર્ય સમન્તભદ્રના કહેવા અનુસાર જે શાસ્ત્રમાં ભગવાનના ઉપદેશના દિવ્ય ધ્વનિનું પ્રતિનિધિત્વ થયું હોય તે શ્રુત કહેવાય. ખરેખર તે યથાર્થ જ છે. શ્રુત સાહિત્ય : શ્રુતના બે પ્રકાર છે ઃ (૧) અંગબાહ્ય, (૨) અંગ-પ્રવિષ્ટ.
(૧) અંગબાહ્યના દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ અનેક પ્રકાર છે.
(૨) અંગ-પ્રવિષ્ટના બાર પ્રકાર છે : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકાધ્યયન, અન્તભ્રંશ, અનુત્તરોપપાદિકદશ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ.
ઉપરોક્ત અંગ-પ્રવિષ્ટના બારમા અંગ દૃષ્ટિવાદમાં ૧૪ પૂર્વેનો સાર સંકલિત થયેલો છે. શ્રુતનો મહિમા : આચાર્ય કુંદકુંદાચાર્ય શ્રુતનો મહિમા વર્ણવતાં જણાવે છે કે,
જો સુયણાણું સળં જાણઈ સુયકેવäિ તમાહુ જિણા |
ણાણું અપ્પા સર્વાં જમ્યા સુયકેવલ તન્હા ||"
અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને શ્રુત પણ એક જ્ઞાન છે. તેથી શ્રુતજ્ઞાન પણ આત્માને જાણવાને માટે પૂર્ણ રૂપથી સમર્થ છે.
શ્રી ઉમાસ્વાતિ ‘તત્ત્વાર્થસૂત્ર’માં જણાવે છે કે, “મ્નિસńવિધિગમાદા ।'' અર્થાત્ સમ્યગ્ દર્શન, જે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો મૂલાધાર છે તે જો નિસર્ગથી ઉત્પન્ન થાય છે તો અધિગમથી પણ અધિક છે. અધિગમનો અર્થ છે અર્થવાબોધ. જેની પ્રાપ્તિમાં શ્રુતનું બહુ મોટું યોગદાન છે. “સમ્યગ્ દર્શનના ભેદોમાં અસ્તિકાય પણ છે, જેનો અર્થ દેવ, શાસ્ત્ર, ધૃત અને તત્ત્વોમાં દૃઢ વિશ્વાસ કરવો.’’
વિવિધ પ્રકારના ભેદો સહિતનું શ્રુતજ્ઞાન અપાર છે. કોઈ પંડિત કે મહાન વિદ્વાન, શાસ્ત્રકારો