________________
230 | ભક્તામર તુલ્યું નમઃ || શબ્દપ્રયોગ કર્યો છે. અર્થાતુ કેવળજ્ઞાનરૂપી દીપકને પ્રજ્વલિત થવા માટે આવા મોહરાગરૂપી તેલના સમૂહની જરૂર નથી. તાત્પર્ય કે પ્રભુ મોહરાગરૂપી તેલથી સર્વથા રહિત છે. સામાન્ય દીવો પ્રગટે છે ત્યારે તેની જ્યોતમાંથી સતત ધુમાડો નીકળે છે. પ્રભુનો કેવળજ્ઞાનરૂપી દીવો એવો દિપક છે કે જેમાંથી ધુમાડો નથી નીકળતો. માત્ર દિવ્ય પ્રકાશ જ નીકળે છે. અહીં સૂરિજીએ નિધૂમ' શબ્દ પ્રયોજ્યો છે. પ્રભુ અપૂર્વ દીપક છે. તેમનામાં કોઈ ધુમાડો નથી. ધુમાડો કાળાશ, વ્યાકુળતા, ધૂંધળાપણું અને ગરમીનું પ્રતીક છે.
પ્રભુ ઘાતી કર્મ અને અઘાતી કર્મથી સર્વથા રહિત છે. ચાર ઘાતી કર્મો – જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ ચારે કર્મ ધુમાડા જેવા છે.
જ્ઞાનાવરણીય કર્મ એ અજ્ઞાનરૂપી અંધકાર-કાળાશનું પ્રતીક છે. આત્મા અનંત જ્ઞાનનો ભંડાર છે. પરંતુ આ કર્મના પ્રભાવથી તે અંધકારમય છે. પ્રભુએ જ્ઞાનાવરણીય કર્મનો ઘાત કરેલો છે. અર્થાતું પ્રભુ આ કર્મથી રહિત છે તેથી સદા પ્રજ્વલિત છે.
દર્શનાવરણીય કર્મ એ ધંધળાપણાનું પ્રતીક છે. આત્માની વાસ્તવિક સ્થિતિ જાણવામાં આ કર્મ બાધારૂપ છે. એટલે કે દર્શનાવરણીય કર્મનું આવરણ જ્યાં સુધી આત્માને લાગેલું હોય છે ત્યાં સુધી આત્માનું સાચું સ્વરૂપે પ્રગટ થતું નથી. પરંતુ પ્રભુ દર્શનાવરણીય કર્મના આવરણથી સર્વથા રહિત છે તેથી તેઓ અંતઃદર્શ છે.
મોહનીય કર્મનું કાર્ય જીવાત્માને આકુળ-વ્યાકુળ કરી દેવાનું છે. આજ મોહનીય કર્મના કારણે આત્મા રાગદ્વેષથી યુક્ત થઈને ભવભ્રમણાના ફેરામાં અટવાયા કરે છે. આચારાંગસૂત્રમાં કહ્યું
__ "जहा जुन्नाइं कट्टाई हब्बवा हो परत्थई एवं अत्तसमाहिए आणिहै ।" જેવી રીતે અગ્નિ જૂનાં લાકડાંને ત્વરિત બાળી ભસ્મ કરી મૂકે છે એ જ રીતે મોહ રાગ રહિત થઈને સાધક ધ્યાનરૂપી અગ્નિમાં કર્મને બાળીને ભસ્મ કરી મૂકે છે. પ્રભુ આવા સાધક છે તેથી જ પ્રભુ વીતરાગી છે અને રાગદ્વેષથી રહિત છે.
અંતરાયકર્મ એ વિદ્ગોનું પ્રતીક છે. આત્મા પર લાગેલા અંતરાય કર્મરૂપ આવરણને કારણે આત્મા ઉલ્લાસરહિત અને સત્વહીન બની જાય છે. જ્યારે પ્રભુ તો અનંતવીર્યના સ્વામી છે.
પ્રભુ ચારે ઘાતી કર્મરૂપ ધુમાડાથી પર છે અર્થાત્ નિર્ધમ છે. સ્તોત્રકાર સૂરિજી જણાવે છે કે પ્રભુ આપ દિવ્યપ્રકાશી છો ! કારણ કે આપે તો આત્મા પર લાગેલાં સર્વ પ્રકારનાં વિકૃતિરૂપ ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ લોપ કરેલ છે અને આપ ધુમાડાને પણ પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે સમર્થ છો.
સામાન્ય દીવાનો પ્રકાશ તેની મર્યાદામાં રહેલી વસ્તુઓને જ પ્રકાશિત કરે છે. દીવો પ્રગટાવવામાં આવ્યો હોય તેની આજુબાજુની મર્યાદિત જગ્યાને જ તે પ્રકાશિત કરે છે. એ મર્યાદિત જગ્યાથી વધુ દૂર સુધી તેનો પ્રકાશ ફેલાઈ શકતો નથી. પરંતુ પ્રભુ તો કેવળજ્ઞાનરૂપી અનંત