________________
"ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર- તંત્ર અને અષ્ટકો છે 497. (૭) શ્રી દોષનિર્નાશિની વિદ્યા ભક્તામરનો ૧૮મો શ્લોક (૮) શ્રી અશિવોપશમની વિદ્યા ભક્તામરનો ૧૯મો શ્લોક
આચાર્ય જિનપ્રભસૂરિકૃત બૃહદ્ શ્રી સૂરિમંત્ર કલ્પના વિવરણમાં પણ ઉપર્યુક્ત ક્રમ જ આપવામાં આવેલ છે.
શ્રી ગુણાકરસૂરિજીએ રચેલ ભક્તામર વૃત્તિમાં તેમણે વૃદ્ધ સંપ્રદાય તરીકે ઉદ્ધરેલા મંત્રોમાં પણ ઉપર્યુક્ત ક્રમ જ જોવા મળે છે. તેમાં માત્ર એક વધારે જોવા મળે છે. જે ત્રીજી વિદ્યા ૧૪મા શ્લોક અર્થે જણાવવામાં આવી છે તે શ્રી વિષાપહારી વિદ્યા સાથે ત્રિભુવનસ્વામીની વિદ્યા પણ જણાવવામાં આવી છે.
શ્રી સિંહતિલકસૂરિ, શ્રી ગુણરત્નસૂરિ અને શ્રી જિનપ્રભસૂરિજીએ જણાવેલ લબ્ધિપદોમાં ખાસ કોઈ ફરક નથી. જે ફરક છે તે આ પ્રમાણે છે. શ્રી સંપાદિની અને દોષનિનશીની આ બંને વિદ્યાઓમાં ગુણાકરસૂરિજી અને સિંહતિલકસૂરિજી કરતાં જિનપ્રભસૂરિજી એક એક વૃદ્ધિ પદ ઓછું આપે છે. જ્યારે અશિવોપશમની વિદ્યામાં સિંહતિલકસૂરિજી નવ ઋદ્ધિપદો આપે છે. ગુણાકરસૂરિજીએ પણ આઠ પદો સંમત હશે તેવું લાગે છે. કારણ તેઓ જણાવે છે કે અશિવોપશમનીની પ્રત્યેક વિદ્યાનો સંબંધ પ્રતિહાર્યો સાથે કરવો. પ્રતિહાર્યો તો આઠ છે. એ પ્રસિદ્ધ જ છે.
ઉપર્યુક્ત ત્રણે ગ્રંથકારોએ આઠ મહાવિદ્યાઓ એકસરખા ક્રમમાં જ જણાવી છે અને તેના લબ્ધિપદોમાં જ થોડો તફાવત જોવા મળે છે. ૧૯મા શ્લોકમાં શ્રી અશિવોપશમની વિદ્યા માટે ગુણાકરસૂરિએ આઠ ઋદ્ધિપદ આપ્યાં છે અને તેને જિનપ્રભસૂરિજીએ આઠ પ્રતિહાર્યો સાથે કરવાનું સૂચન કર્યું છે.
બીજા પણ ઘણા નિગ્રંથકારોએ પણ આઠ મહાવિદ્યાઓનો ક્રમ આપ્યો છે. આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી જણાવે છે કે “સારસ્વત, રોગપહારિણી, વિષાપહારિણી, બંધમોક્ષિણી, શ્રી સંપાદિની, પરવિદ્યા ઉચ્છેદિની, દોષનિર્નાશિની, અશિવોપશષમની આ આઠ મહાવિદ્યાઓ સ્વ અને પર માટે સાધી શકે છે. તેઓ જણાવે છે કે શ્રીમાન માનતુંગસૂરીશ્વરજી મ. સા. એ શાંતર/T:
fમઃ ઇત્યાદિથી ખતમારના અંત સુધીની અગિયારથી ઓગણીસ ગાથા સુધીની આઠ ગાથાઓ આઠ મહાવિદ્યાથી ગર્ભિત કાવ્યરૂપે રચી છે. આ આઠ ગાથા “જ્ઞાન' તથા ત્વયિ વિમાતિ નાવાશે એ નવમા કાવ્ય સહિત જે રોજ પ્રાતઃ વેળામાં ભણશે, સ્મરણ કરશે તે સ્વયં સારસ્વતાદિ પૂર્વોક્ત આઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને બીજાને પણ આઠ સિદ્ધિઓ પમાડી શકશે.
અનેક નિગ્રંથકારોએ આ વિદ્યાષ્ટકનું મહત્ત્વ વર્ણવ્યું છે. આ આઠ શ્લોક અને તે ઉપરાંત નવમો શ્લોક અર્થાતુ ૧૨થી ૧૯ અને ૨૦મો શ્લોક. માત્ર એ નવ જ શ્લોકનો પાઠ કરનારે સવારે બાર વાગ્યા પહેલાં જ આ પાઠ કરી લેવો અવશ્યક છે. | વિઘાષ્ટક સિવાય ભયાષ્ટક પણ ભક્તામર સ્તોત્રમાં સમાયેલું છે. શ્રી માનતુંગસૂરિએ