________________
શર્વરીદ્યુ – રાત્રિને વિષે - રાત્રિ દરમ્યાન
મુખરૂપી ચંદ્ર વડે વડે શું ? વા અથવા અગ્નિ – દિવસને વિષે – દિવસ દરમ્યાન વિવસ્વતા ક્િ
સૂર્યને ઊગવા વડે શું ? નિષ્પન્ન પક્વ એવા શાલિવન – ધાન્યનાં ખેતરો વડે શાલિનિ
પાણીના ભાર વડે નીચા નમેલાં
શોભતી એવી નીવતોò - પૃથ્વીને વિષે ખતમાર નમ્ર વાદળાંઓ વડે યિત્ વ્હાર્યમ્ - શું પ્રયોજન ?
નનધરે:
ભાવાર્થ :
—
શ્રી ભક્તામર સ્તોત્ર : 241 શશિના વ્હિમ્ – ચંદ્રના ઊગવા
અથવા
-
હે સ્વામિન્ ! આપના મુખરૂપી ચંદ્રથી જ અંધકાર નષ્ટ થઈ જાય પછી રાત્રે ચંદ્રને ઊગવાનું શું પ્રયોજન ? અથવા દિવસને વિષે સૂર્યને ઊગવાનું શું કામ ? પૃથ્વીને વિશે પક્વ ધાન્યથી ખેતરો શોભિત થયા પછી પાણીના ભારથી નીચે નમેલાં એવાં વાદળોથી શું પ્રયોજન હોય ? તાત્પર્ય કે કાંઈ જ નહિ.
વિવેચન : ગાથા ૧૯
સ્તોત્રકાર સૂરિજીએ જિનેન્દ્રદેવની સ્તુતિ કરતાં કરતાં અનેક પ્રતીકો અને વિવિધ ઉપમાઓ સાથે તુલના કરી. પરંતુ તુલનામાં દીપક, સૂર્ય કે ચંદ્રમા ત્રણેય તેમને અનુચિત લાગ્યા. જ્યારે કોઈ પણ તુલનામાં તુલ્ય ન મળ્યું ત્યારે સૂરિજી ભક્તિરસમાં તરબોળ બની ગયા. તેઓ ભક્તિની એવી ચ૨મસીમાએ પહોંચી ગયા કે જ્યાંથી ભક્તને માત્ર ભગવાન જ દેખાય, અન્ય કશું જ ન દેખાય. ભક્તિના આવા ઉત્તુંગ શિખર પર પહોંચીને સ્તોત્રકાર સૂરિજી અસ્ખલિત ધારાએ સારભૂત શબ્દોથી સ્તોત્રની રચના કરી રહ્યા છે. હવે તેઓ કહે છે કે, ‘હે નાથ !’ તમારા મુખરૂપી ચંદ્રના પ્રકાશથી આ જગતનો સમસ્ત અંધકાર નાશ પામી ગયો છે. હવે રાત્રિએ ચંદ્રને ઊગવાનું પ્રયોજન શું ? અને દિવસે સૂર્યને ઊગવાનું પ્રયોજન શું ? તાત્પર્ય કે તમે સમસ્ત અંધકારનો નાશ કર્યા પછી સૂર્યચંદ્રએ અંધકારનો નાશ કરવાનો રહેતો નથી; એટલે તેમનો આ પ્રકારનો ઉદય નિષ્ફળ છે. પૃથ્વી પાકેલા ધાન્યનાં ખેતરોથી શોભી ઊઠે છે. પછી જળભરી વાદળીઓનું કામ શું હોય છે ? તાત્પર્ય કે તેમનું આગમન નિષ્પ્રયોજન હોય છે, તે જ રીતે ચંદ્ર અને સૂર્યનું પૃથ્વી પરનું ઊગવું નિષ્પ્રયોજન છે.
સૂર્ય અને ચંદ્રમા પ્રભુના મુખની તેજોમય કાંતિ કરતાં વિશેષ પ્રકાશમાન નથી. તો સૂર્ય અને ચંદ્રમાની વિદ્યમાનતાની આવશ્યકતા શું છે ? સ્થૂળ દૃષ્ટિએ વિચારતાં આ વાત અવ્યવહારિક અને બાળકબુદ્ધિ જેવી લાગે છે. સૂર્ય અને ચંદ્રનો કોઈ વિકલ્પ હોઈ શકે ખરો ? તેના વગર આ જગતનું કોઈ કાર્ય થઈ શકે ખરું ? કારણ દિવસની શોભા સૂર્ય થકી છે અને સૂર્યનું કાર્ય દિવસે ઉદિત થવાનું છે. તેવી જ રીતે રાત્રિની શોભા ચંદ્ર થકી છે. રાત્રે તે ઉદય પામીને શીતળ ચાંદની ફેલાવે છે. પરંતુ સૂરિજી આ બન્ને સચ્ચાઈને નકારી રહ્યા છે. સૂરિજી ભક્તિના ચરમ શિખરે પહોંચી ગયા છે, જ્યાં તેમને પ્રભુની વિદ્યમાનતા સિવાય અન્ય કોઈના પ્રકાશિત થવાની