________________
શ્રી ભક્તામર સ્તોત્ર 283
શબ્દાર્થ
વેન્ડાવવાનું – મોગરાના પુષ્પ જેવા શ્વેત, અવનવીમર - ઢોળાતાં (વઝાવા) એવા ચામર, વીરુશોમમ્ – સુંદર શોભાને ધારણ કરનાર, વિમાનતે – શોભે છે. તવ વધુ. – આપનું શરીર, વેનૌતાન્તમ્ – સુવર્ણ જેવી કાંતિવાળા, ઉદ્યTI – ઉદય પામેલા ચંદ્રમાના, શુ િનિર્જર વારિવાર– નિર્મળ ઝરણાનાં પાણીની ધારાઓથી, ઉચૈતમ રૂવ – ઉચ્ચભૂમિ જેવા, સુરત રે. - મેરુપર્વતની, શાતૌમ્મમ્ – સુવર્ણમય ભાવાર્થ :
મોગરાના પુષ્પ જેવા શ્વેત વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું આપનું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મળ ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. વિવેચન : ગાથા ૩૦
આ શ્લોકમાં સરિજીએ પ્રભુને પ્રગટતાં ત્રીજા ચામર અતિશયનું વર્ણન કરેલ છે. શ્રી જિનેશ્વરદેવ દેશના સમયે ઊંચા નીલરંગી અશોકવૃક્ષ નીચે રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બિરાજે છે. ત્યારે તેમની બંને બાજુ દેવતાઓ વડે દિવ્ય શ્વેત ચામરો વીંઝાય છે. આ અવસ્થાને જાણે પ્રત્યક્ષ મનઃચક્ષુ સમક્ષ અનુભવતા હોય અને તેનું સુંદર શબ્દચિત્ર અદ્ભુત રીતે સૂરિજીએ ઉન્મેલા દ્વારા દોર્યું છે. ઉદાહરણ તરીકે તેમણે કુદરતનો જ આશરો લીધો છે.
સ્તુતિકાર સૂરિજી અહોભાવભરી વાણીમાં જણાવે છે કે હે ભગવાન ! જેમ મેરુપર્વત ચંદ્રમાનાં કિરણો જેવાં ક્ષેત, નિર્મળ, ઝરણાંનાં પાણીની ધારાથી શોભે છે અને તેની ઊંચી ભૂમિ સુવર્ણની હોય છે તેમ તમારી બંને બાજુ મોગરાના પુષ્પ જેવા શ્વેત ચામરો વીંઝાય છે. અને સિંહાસન પર સ્થિત થયેલી તમારી કાયા સુવર્ણની જેમ શોભી ઊઠે છે.
કેટલી ઉદાત્ત અને ભવ્ય કલ્પના ! તેમણે શ્વેત ચામરો મેરપર્વતની બાજુમાંથી વહી જતા શ્વેત ઝરણાની સાથે અને શ્રી જિનેશ્વરદેવના સુવર્ણમય શરીરની મેરુશિખરની ઉચ્ચ સુવર્ણમય ભૂમિકા સાથે ખૂબ જ સુંદર તુલના કરી છે.
અશોકવૃક્ષ, સિંહાસન અને હવે ચામર ઉપર સૂરિજીની દૃષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. તીર્થંકર પ્રભુનો એક અતિશય એ છે કે સમવસરણમાં દેશના સમયે પ્રભુને દેવતાઓ દ્વારા નીચેથી ઉપરની તરફ ચામર વીંઝાય છે. ચામર જોઈને માનતુંગસૂરિને થયું કે ચામર વીંઝાય ત્યારે પ્રભુ કેવા લાગે તેની કલ્પના માટે તેમણે કુદરતનો આશરો લીધો છે.
મેરુપર્વત અચલ છે જ્યાં પ્રભુના જન્મકલ્યાણકો ઊજવાય છે. શિખર સુવર્ણનું હોય છે. આ