________________
485
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકોઃ પ્રભાવ : કોઈ પણ સંકટ ઉપસ્થિત થાય અથવા ભૂત, પ્રેત, ડાકણ, શાકિનીના ઉપદ્રવ હોય તો તેનો નાશ થાય.
(૧૨) શ્લોક ૧૬નો મંત્રામ્નાય ગુણાકરસૂરિએ આપ્યો છે તે શ્રી સંપાદિની વિદ્યાનો છે જે આ પ્રમાણે વિધિ સહિત જણાવ્યો છે :
ॐ ह्रीं पूर्वं बीयबुद्धीणं कुट्ठबुद्धीणं संभिन्नसोआणं अक्खोणमहाणसीणं सव्वलद्वीणं नमः સ્વાહા ।
વિધિ : સવારમાં ઊઠીને સ્નાન કરી પવિત્ર શરીરે પીળી ધોતી પહેરીને કપૂરની (કેરબાની) માલાથી જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધન-ધાન્યની કમીના ન હોય.
(૧૩) કથા ૯ અને શ્લોક ૧૬–૧૭નો મંત્રામ્નાય પરિવિદ્યાઅેદિની વિદ્યા માટે અને તેની વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે આપેલ છે :
ॐ ह्रीं उग्गतवचरणचारीणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः સ્વાહા || परिविद्याच्छेदिनी विद्या ।
-
વિધિ : આ મંત્ર આખો મોઢે કરીએ પછી જે કોઈને ભૂતપ્રેતનો દોષ લાગ્યો હોય તેને આ મંત્રથી મોરપીંછા વડે ૧૦૮ વાર ઝાડો દીજે – ઉંઝીએ તો દોષ ટળે. શીતજ્વર, ઉષ્ણજ્વર પ્રમુખ સર્વજ્વરનો નાશ થાય. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રીને ચારે બાજુની ભીંતોએ તે મંત્રેલું પાણી છાંટીએ તો મરકી વગેરે ઉપદ્રવનો નાશ થાય.
(૧૪) કથા ૧૦ અને શ્લોક ૧૮નો ગુણાકરસૂરિએ આપેલા મંત્રામ્નાય અને તેની વિધિ આ પ્રમાણે છે :
ॐ ह्रीं जङ्घाचारणाणं ॐ ह्रीं विज्जाचारणाणं ॐ ह्रीं वेउव्विइड्डिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं નમ: સ્વાહા ||
વિધિ : રવિવારના દિવસે આ મંત્રાક્ષરોને ભોજપત્ર પર યક્ષકર્દમથી લખી માદળિયામાં તે ભોજપત્રને મૂકી, પાસે રાખીએ તો આપણા ઉપર કોઈ પણ વ્યક્તિએ કામણટૂમણ કર્યાં હોય તેની અસર થાય નહિ; અને દિવસે દિવસે આપણી કીર્તિ તથા પ્રતાપમાં વધારો થતો રહે.
(૧૫) કથા ૧૯ અને શ્લોક ૧૯નો મંત્રામ્નાય અને વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે જણાવ્યાં છે :
ॐ ह्रीं पूर्वे मणपज्जवनाणीणां सीयलेसाणं तेउलेसाणं आसीविसभावणाणं दिट्टीविसभावणाणं चारणभावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं नमः स्वाहा ।।
अशिवोपशमनी विद्या ।
વિધિ : રવિવારના દિવસે આ મંત્રાક્ષરોને ભોજપત્ર પર યક્ષકર્દમથી લખી, માદળિયામાં તે