________________
244 . || ભક્તામર સુભ્ય નમઃ || પણ તેમાં સમાયેલાં હોય જ છે.
ઉપરોક્ત કથાનુસાર જ્ઞાન-દર્શનચારિત્રરૂપી રત્નત્રયીમાંથી ચારિત્ર એ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું ત્રીજું સોપાન છે. જ્ઞાન-દર્શન દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સાધકનું લક્ષ મોક્ષસુખની પ્રાપ્તિનું છે. જ્યારે આ રત્નત્રયી સાથે મળે છે ત્યારે મોક્ષમાર્ગનાં દ્વાર ખૂલી જાય છે અને એ સિદ્ધ થતાં તેમાં સાધકને સહાયભૂત થતાં નિમિત્તોની આસક્તિનો, તેના પ્રત્યેના લગાવનો ત્યાગ કરવાનો છે. અથવા તો આત્માની ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવા માટે નીચેની ભૂમિકાઓનો ત્યાગ કરતા જવાનો છે. જેમ ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી પાણીથી ભરેલાં વાદળાંઓની જરૂર રહેતી નથી તેવી જ રીતે આત્માને ઉત્કૃષ્ટ ચારિત્રની પ્રાપ્તિ કર્યા પછી તેમાં નિમિત્ત બનનારા જ્ઞાન-દર્શનરૂ૫ નિમિત્તાની જરૂર રહેતી નથી. જ્ઞાન-દર્શનનું કાર્ય ચારિત્ર દ્વારા સંપન્ન થઈ જાય છે. આ ગૂઢાર્થ દ્વારા સૂરિજી પ્રભુને વિનંતી કરે છે કે, હે પ્રભુ ! તમે મારા સર્વસ્વમાં એવા સતત વ્યાપી રહેજો અને કર્મબંધનનો નાશ કરવામાં એવા સહાયક થજો કે આપણે બંને ભિન્નમાંથી અભિન્ન બની જઈએ. અર્થાતુ મારામાં રહેલા શુદ્ધાત્માને પ્રગટાવવા માટે મારે અન્ય કોઈ દેવીદેવતાઓ કે નિમિત્તોનો સહારો લેવો ન પડે. પરંતુ આપના પરમાત્મ સ્વરૂપની સહાયથી મારો આત્મા પરમ-આત્મા બને. આમ આ ઉદાહરણમાં અભુત ભાવો ભરેલા છે જે અર્થપૂર્ણ તેમજ શાસ્ત્રોક્ત છે શ્લોક ૨૦મો
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं, नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं
नैवं तु काचशकले किरणाकुलेऽपि ।।२०।। જેવું ઉંચું પ્રભુમહિ રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહિ નવ દીસે જ્ઞાન એવું રૂપાળું; જેવી કાંતિ મણિમહિ અહા તેજના પુંજ માપી, તેવી કાંતિ કદિ નવ દીસે કાચની રે કદાપિ. (૨૦)
શબ્દાર્થ
તવ શમ્ – પ્રકાશને કરનારું - સ્થાન મેળવીને જ્ઞાનમ્ – જ્ઞાન યથા – જેવી રીતે ત્વયિ – આપનામાં વિમાતિ – પ્રકાશે છે . શોભે છે તથા – તે પ્રમાણે હરિરવિવું – હરિહર વગેરેમાં - શંકર-વિષ્ણુ આદિમાં નાયડુ – અન્ય લૌકિક દેવોમાં ન – એ પ્રમાણે નહિ, નથી જ પ્રકાશનું રળવું – ચમકતાં મહારત્નોમાં યથા મહત્ત્વયાતિ – જેવું મહત્ત્વ પ્રાપ્ત કરે છે જિરાપુને ર – કિરણોથી વ્યાપ્ત હોવા છતાં વિશ? – કાચના ટુકડામાં