________________
178 | ભક્તામર તુલ્યું નમઃ | તે નવાગામ - શાસ્ત્ર, તેનાથી ઉત્પન્ન તત્ત્વવોધ – તત્ત્વરૂપી બોધ-તત્ત્વજ્ઞાન, તેનાથી આ પદ હેત્વર્થે પંચમીમાં આવેલું છે.
૩મૂતવુદ્ધમઃ – ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા ઉમૂત – ઉત્પન્ન થયેલી છે, વૃદ્ધિ – બુદ્ધિ, તેના વડે ટુ – ચતુરને મુતવૃદ્ધિપટુ - તેમના વડે. સુરનોનાર્થે. પદનું વિશેષણ હોવાથી આ પદ તૃતીયા બહુવચનમાં છે.
સુરતનાથે. – દેવેન્દ્રો વડે.
સુઝુ રાખજો રૂતિ સુર: – જે સારી રીતે પ્રકાશે છે, તે સુર, તેનો તોડ તે સુરનો અર્થાતું દેવલોક કે સ્વર્ગ તેનો નાથ કહેતા અધિપતિ, તે સુરનો નાથ અર્થાત્ દેવેન્દ્ર
Mતિત્રિત ચિતદરે – ત્રણ જગતના ચિત્તનું હરણ કરનારા એવા “ત્રતોડવવા કરત ત્રિવયં” જેને ત્રણ અવયવો છે. તે ત્રિતય નાતાં ત્રિતયં ગત ત્રિતયમ્ – જગતનો, ત્રિતા એટલે ત્રણ જગત. તેનું ચિત્ત તે સાત્રિાયશ્ચિત્ત, તેનું હરણ કરનાર તે ત્રિાયશ્ચિત્તર – તેના વડે,
દીપાવે છે મુકુટમણિના તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહિં ડૂબતાં પ્રાણીઓને, નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમો એ. (૧) જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇન્દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણી; ત્રિલોકીનાં જનમન હરે સ્તોત્ર માંહિ અધીશ,
તે શ્રી આદિ જિનવર તણી હું સ્તુતિ કરીશ. (૨) ભક્તામર સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી માવજી દામજી શાહે મંદાક્રાન્તા છંદમાં કરેલ છે.
આ પદ સ્તોત્રે પદનું વિશેષણ હોવાથી તૃતીયાના બહુવચનમાં છે. અહીં ત્રણ જગતથી ત્રણ લોક એટલે ઊર્ધ્વલોક અર્થાત્ સ્વર્ગ, તિર્યગુલોક અર્થાતુ પૃથ્વી અને અધોલોક અર્થાતુ પાતાલનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્રણ લોકનું ચિત્ત એટલે ત્રણ લોકમાં રહેનારા એવા સુર, નર અને અસુરનું ચિત્ત. તાત્પર્ય કે જેણે સુર, અસુર અને મનુષ્યોનાં ચિત્તનું આકર્ષણ કર્યું છે, એવા.
કરે. – મહા અર્થવાળા એવા.
કારે– મદાર્થો (ગુણાકાર વૃત્તિ) ઉદાર એટલે મહાન અર્થવાળા. આ પદ સ્તોત્રેનું વિશેષણ હોવાથી તૃતીયાના બહુવચનમાં આવેલું છે.
તો – સ્તોત્રો વડે.